મોરબીની એક પ્લાયવુડ ની પ્રાઇવેટ લિમિટેડ કંપની માંથી ટ્રક મારફતે નેપાળ ખાતે રૂપિયા ૫૧ લાખની કિંમતનો માલ મોકલાવ્યો હતો જે લેનાર પાર્ટી સુધી ન પોહચતા બારોબાર સગેવગે થઈ જવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે
વધુ જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નેશનલ હાઈવે પર આવેલ કજારિયા પલાયવુડ નામની ફેક્ટરીમાંથીદીપકભાઈ મનસુખભાઈ ઘોડાસરાએ ગત 25 ફેબ્રુઆરીના રોજ યુપી 50 સીટી 870 નંબરના ટ્રકમાં રૂ 51.07 લાખની 5775 ભરી નેપાળના કેશા ચંદા અન્વરલાલ એન્ડ કંપનીમાં ભરીને મોકલ્યા હતા.
જોકે યુપીના આઝમજીગઢ જીલ્લાનો વતની ટ્રક ડ્રાઈવર દિલીપકુમાર અભિમન્યુ સિંગ આ માલ નેપાળ પહોચાડવાના બદલે રૂ 51.07 લાખ નંબરનો 5775 સીટ લઇ ગાયબ થઇ ગયો હતો તેમજ ફોન પણ બંધ કરી દીધો હતો આ અંગે દીપકભાઈએ નેપાળમાં તેમણી પાર્ટીપાસે તપાસ કરતા લેમિનેટ સીટની ડીલવરી ન મળી હોવાનું સામે આવતા મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ટ્રક ચાલક દિલીપકુમાર વિરુદ્ધ છેતરપીડી આચર્યાની પોલીસ ફરિયાદ નોધાવી હતી.બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...