ચુંટણી સમયે કરોડો રૂપિયા નું ચુનાવી ફંડ ઉધોગપતિઓ પાસે થીં લઇ ઉધોગપતિઓ ને હથેળીમાં ચાંદ બતાવતા નેતાઓ હાલ સીરામીક ઉધોગ નાં કપરાં સમયે મૌન અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે
દેશ અને દુનિયાનો સૌથી મોટો સિરામિક ઉદ્યોગ અને સૌથી વધુ વિદેશી હૂંડિયામણ રળી આપનારો સિરામિક ઉધોગ હાલ ભયંકર મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યો છે યુક્રેન રશિયા યુદ્ધના કારણે એક એક્સપોર્ટને માર પડ્યો છે સાથે સાથે રશિયા તરફથી મળતા ગેસમાં પણ ઘટાડો થવાથી ભાવ ઉચકાય તેવી સંભાવના સેવાઈ રહી છે.તો બીજી તરફ ગુજરાત ગેસ કંપની પોતાની મનમાની ચલાવી ગમે ત્યારે ભાવ વધારી ઉઘાળી લુંટ ચલાવે છે અથવા ગેસ વિતરણમાં કાપ મૂકી રહ્યું હોવાથી ફેકટરીઓ ચલાવવી મુશ્કેલ બની છે
હજુ બુધવારે ઉદ્યોગકારો ગુજરાત ગેસ પાસે ગેસ કાપ પરત લેવા રજૂઆત કરવા ગયા હતા જેનો કોઈ ઉકેલ આવ્યો નથી ત્યાં નવી મુશ્કેલીઓ ઉભી થઇ છે કારણ કે જે ઉધોગકાર ગુજરાત ગેસ કંપનીના ગેસના બદલે અન્ય કંપનીનો પ્રોપેન ગેસ વાપરી રહ્યા છે તેમાં પણ કાપ આવ્યો છે. સિરામિક ઉધોગકારોના મતે વિદેશથી પ્રોપેન ગેસ લઈને આવતી કાર્ગો શીપને પોર્ટ પર જગ્યા ન મળતી હોવાથી લાંબુ વેઈટિંગ રહે છે જેના કારણે તેમાં ભરેલ ગેસના ટેન્કર સમય ખાલી થતો નથી પરિણામે તેની ડીલીવરી પૂરતા પ્રમાણમાં થઇ શકતીની
મોરબીના 100થી 120 ફેક્ટરી પ્રોપેન ગેસનો ઉપયોગ કરે છે. અને દરરોજ મોરબીમાં 80 ટેન્કર આવે છે જેની સામે બુધવારે માત્ર 32 ટેન્કર જ આવ્યા હતા જયારે ગુરુવારે પણ બપોર સુધી કોઈ ડીલીવરી ન મળતા ઉધોગમાં ગેસનો જથ્થો લગભગ પુરો થવા લાગતા હવે ફેક્ટરી શટ ડાઉન થવા લાગી છે જો સાંજ સુધીમાં ગેસ નહી મળે તો 100 ફેક્ટરી બંધ થઇ શકે છે.જો એક સાથે 100 જેટલા એકમ એક સાથે બંધ કરવા પડે તો એક દિવસમાં ઉધોગને મોટું નુકશાન જવાની ભીતિ સેવાઈ રહી છે.તો બીજી તરફ ઉધોગ બંધ થતાં લાખો લોકોની રોજગારી પર સીધી અસર કરે છે
મોરબી: આવતીકાલ તારીખ ૨૭-૦૪-૨૦૨૪નાં શનિવારનાં રોજ મેન્ટનન્સની કામગીરીને કારણે પીજીવિસીએલ શહેર પેટા વિભાગ-૨, હેઠળના નીચે મુજબના ફીડર તથા વિસ્તારોમાં ફીડર સમારકામ સવારે ૦૭:૦૦ વાગ્યા થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. તેમજ કામપૂર્ણ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.
(૧)ગોપાલ ફિડર:- રિલિફનગર, રોટરીનગર,...
લોકશાહીનું પર્વ દેશનું ગર્વ : મતદાનને પ્રોત્સાહન માટે હોટલ માલિકો તંત્રની ઝુંબેશમાં સહભાગી બન્યા
મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે. બી. ઝવેરીના દિશા- નિર્દેશમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા અને સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતી કેળવવા...
મોરબીની માધાપરવાડી શાળામાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ધો.8 નો વિદાય સમારંભ સંપન
મોરબી: બાળકોના જીવન ઘડતર માટેનું,બાળકોની લાઈફ સ્કિલના વિકાસ અને સંવર્ધન માટેનું કોઈ મહત્વનું સ્થળ હોય તો તે છે શાળા, એમાંય બાળક પોતાનું ઘર છોડી બહાર નીકળીને પહેલું પગલું પ્રાથમિક શાળામાં મૂકે છે. વિદ્યાર્થીઓ પોતાના જીવનકાળ દરમ્યાન પ્રાથમિક, માધ્યમિક,...