હળવદના સ્મશાનમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લાકડા અને છાણાનો અભાવ હોવાથી મૃતદેહને અંતિમ ક્રિયા માટે પાલિકાના કર્મચારીએ કલાકો સુધી રાહ જોવડાવી
આ બાબતે હળવદમાં જાગૃત સામાજિક કાર્યકર અજુભાઈ અને નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન પાલને રજૂઆત કરી જણાવ્યું હતું કે સ્મશાનમાં લાકડાં તો છે પણ વૃદ્ધિ અને અંતિમ ક્રિયા માટે લાકડા કોઈ ઉપયોગમાં આવે એમ નથી અને છાણા પણ નથી તો નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કેમ કરવામાં નથી આવતી ત્યારે સેનેટરી ઇન્સ્પેક્ટર એ સામાજિક કાર્યકર એવા અજુભાઈ ને એવું જણાવ્યું કે નગરપાલિકા ને છાણા મળતા નથી છેલ્લા પંદર દિવસથી હળવદના પાલિકા સ્થિત સ્મશાન ગૃહમાં જ નથી ત્યારે મૃતદેહ ને અંતિમક્રિયા કરવા માટે કલાકો રાહ જોવી પડી રહી છે
રિપોર્ટ – રવી પરીખ હળવદ
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...