મોરબીમાં માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાવાય યાર્ડના વાઈસ ચેરમેન અને સાંસદ મોહનભાઇ કુંડારિયાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો
મોરબી સહીત રાજ્યભરમાં રાજ્ય સરકાર દ્વારા શિયાળુ પાક એવા ચણાની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતોં અને તેના માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાના 5 તાલુકામાં 19,600 ખેડૂતોની નોધણી થઇ હતી.અને જીલ્લામાં સોમવારથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે મોરબી માળિયાના ખેડૂતોને ખરીદી માટે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે બોલાવાયા છે
અહી સાંસદ મોહનભાઈ કુંડારિયા એપીએમસી વાઈઝ ચેરમેન મગનભાઇ વડાવીયા તેમજ ગુજકોમાર્સલના પ્રતિનિધિ કાનજીભાઈ ભાગિયાની હાજરીમાં ખરીદી શરૂઆત કરવામાં આવી છે. મોરબી જિલ્લાના ખેડૂતમાટે અલગ અલગ સ્થળે ખરીદ સેન્ટર ખોલવામાં આવ્યા છે. જેમાં મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે મોરબી-માળિયાના ખેડૂતોમાટે ખરીદ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે આ સિવાય ટંકારા અને વાંકાનેરના ખેડૂતો માટે અજંતા જીનીંગ મિલ તેમજ હળવદ તાલુકાના ખેડૂતો માટે હળવદ યાર્ડ ખાતે ખરીદ સેન્ટર શરુ કરવામાં આવ્યા છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...