આઈ સોનલ જન્મસતાબ્દી અંતઁગત મોરબી ચારણ સમાજ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષા માટે ચારણ સમાજ ના વિધાર્થીઓ માટે રહેવા જમવાની સુંદર વ્યવસ્થા કરવામા આવી.
આજ રોજ તા.9/4/2023ના રોજ જુનિયર કલાર્કની પરીક્ષા લેવામા આવનાર છે જેમા ગુજરાતભરના વિવિધ જિલ્લાઓમાંથી ચારણ સમાજ ના વિધાર્થી ભાઈ બહેનોને મોરબી ખાતે પરીક્ષા સેન્ટર ફાળવવામા આવ્યુ. ચારણ સમાજ ના વિધાર્થીઓએ હેરાન ન થાય તે માટે મોરબી ચારણ સમાજ ના વિવિધ સેવાકીય સંગઠનો આઈ સોનલ યુવક મંડળ, અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા, સોનલ જન્મોત્સવ સમિતિ, મોરબી ચારણ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ચારણ સમાજ ના 80 /90 જેટલા વિધાર્થી ભાઈ- બહેનો માટે ક્રિષ્ના હોલ મોરબી ખાતે રહેવા, જમવા,નાસ્તા તથા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની સુંદર વ્યવસ્થા કરી મોરબી ચારણ સમાજ યુવા ટીમે ચારણત્વ નો વેવાર નિભાવી સમાજ સેવાનુ સુંદર ઉદાહરણ પુરુ પાડ્યુ.
આ સમગ્ર કાર્યક્રમની સુચારુ વ્યવસ્થા કરવા ABCGMYના અધ્યક્ષ ડૉ.કિશોરદાન ગઢવી, સોનલ જન્મોત્સવ સમિતિના મુકેશભા મારુ, સોનલ વાડી નિર્માણ સમિતિના સંજયભા નાંદણ, કરણભા રાજૈયા, રફાળેશ્વર ચારણ સમાજ ના દિનેશભા ગુઢડા, મેહુલભા ખાત્રા, રમેશભા સોયા, વિશ્રામભા ગઢવી, પ્રફુલ્લભાઈ બારહટ, મનુભા લાંબા, દિનેશભા મારુ આઈ ક્રુપા મંડપ, યુવરાજ બારહટ, વરુણદાન બારહટ, સહિત ની ટીમે જહેમત ઉઠાવી.ચારણ સમાજ ના વિધાર્થીઓને પરીક્ષામા ઉતિઁણ થવા માટે શુભેચ્છાઓ પાઠવી.સમગ્ર આયોજન ના દિશાસૂચક વેજાંધભા ગઢવી કચ્છ તથા મનુદાન ગઢવી મહુવા એ આ સેવાનો લાભ લેવા માટે સમગ્ર ગુજરાત ચારણ સમાજ ના વિધાર્થીઓ ને માહિતિ પુરી પાડવા વિશેષ સહકાર આપ્યો.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...