જી.ટી.પંડ્યાએ MCMC સેન્ટરની કામગીરીથી માહિતગાર થઈ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું
મોરબી: મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જી.ટી.પંડ્યાએ કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર જિલ્લા માહિતી કચેરી દ્વારા કાર્યરત મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી(MCMC)નાં સેન્ટરની મુલાકાત લીધી હતી.
આ મુલાકાતમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને MCMCના અધ્યક્ષ જી.ટી.પંડ્યાએ રાજકીય જાહેરખબરોનું પૂર્વ-પ્રમાણિકરણ, અને મોનીટરીંગ વગેરે બાબતો વિશે માર્ગદર્શન પુરું પાડીને જરૂરી સૂચનાઓ આપી હતી. ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે ઉપરોક્ત કમિટી કામગીરીની તૈયારીઓ વિશે જિલ્લા ચૂંટણી અધિકારીએ વિગતો મેળવી હતી.
આ મુલાકાતમાં જિલ્લા ચૂંટણી અધિકારીને મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી(MCMC) દ્વારા ચેનલ્સનું કરવામાં આવતું એનાલિસીસ, ન્યુઝ પેપરમાં પેઈડ ન્યુઝ તેમજ જાહેરાતનું એનાલિસીસ સહિત થયેલ કાર્યો અને કરવામાં આવતી કામગીરી વિશે મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવાએ માહિતગાર કર્યા હતા.
આ ઉપરાંત મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જી.ટી.પંડ્યાએ આચારસંહિતા ભંગ બાબતે કાર્યરત ફરિયાદ નિવારણ સેલની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન કલેકટર સાથે જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એસ.એમ.કાથડ, નાયબ મામલતદાર પાલિયા, માહિતી મદદનીશ બળવંતસિંહ જાડેજા, ઓપરેટર ભરત ફુલતરિયા સહિતના કર્મચારીઓ પણ જોડાયા હતા.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...