અગાઉ પણ ભારત સરકાર ના ઉચ્ચ શિક્ષણ વિભાગ માં રિસોર્સ પર્સન તરીકે જવાબદારી નિભાવી હતી
ભારત સરકાર દ્વારા શિક્ષણ મંત્રાલય અંતર્ગત મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ પરિષદ હૈદરાબાદ દ્વારા ભારત સરકારના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ના અધ્યક્ષ હેઠળ હૈદરાબાદ મુકામે નેશનલ કોન્ફરન્સનું આયોજન ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ છે
આ નેશનલ કોન્ફરન્સ નો ઉદ્દેશ્ય ભારતની ગ્રામ્ય વિસ્તાર આવેલી કોલેજ ગ્રીન કેમ્પસ બને અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી કોલેજોનું સક્સેસ સ્ટોરી રિસર્ચ રિસર્ચ પેપર અને પેપર પ્રેઝન્ટેશન કરવામાં આવશે ગુજરાતમાંથી ભારત સરકાર દ્વારા આઠ જિલ્લા પસંદ કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લો પણ પસંદ કરેલ છે. મોરબી જિલ્લામાં થી નવયુગ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર હિરેન મહેતા ની District રિસોર્સ પર્સન તરીકે પસંદગી કરવામાં આવેલ હતી આગામી તારીખ ૨૧ અને ૨૨ માર્ચ 2022 ના રોજ મોરબી જિલ્લાની ગ્રામ્ય કોલેજનું પેપર પ્રેઝન્ટેશન પણ કરશે. ગ્રામ્યવિકાસ મહિલા સશક્તિકરણ સોર ઉર્જા પર્યાવરણ સરક્ષણ સ્વચ્છતા અભિયાન જળ સંપત્તિ નું સરક્ષણ આ નેશનલ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ છે નવયુગ કોલેજ કોલેજના પ્રિન્સિપાલ ડોહિરેન મહેતા રાષ્ટ્રીય કક્ષાએ મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અગાઉ ડોક્ટર હિરેન મહેતા જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી વર્લ્ડ બેંક અને ભારત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગમાં નેશનલ રિસોર્સ પર્સન તરીકે જવાબદારી નિભાવેલી હતી દસથી વધારે રિસર્ચ પેપર તેમજ પાંચથી વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં પ્રતિનિધિત્વ કરેલ છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...