મોરબી શહેર માં થોડાં દિવસો પહેલાં બાઇક ચોરી ની ફરીયાદો ઉઠી છે ત્યારે વ
સિવિલ હોસ્પિટલના સ્ટાફ કવાર્ટરમાં ચોરી થયા નો વધું એક બનાવ સામે આવ્યો છે
ગત રાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા અને કેટલાક ક્વાર્ટરમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો તો એક સ્થળેથી મોબાઈલ ચોરી કરવામાં તસ્કરને સફળતા મળી હતી બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શહેરની સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટરને તસ્કરોએ નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હતો જેમાં સ્ટાફ કવાર્ટરમાં રહેતા જલ્દી ભટ્ટ, રેખાબેન અને મીનાક્ષીબેનના ક્વાર્ટરના તાળા તોડ્યા હતા તો ક્રિષ્નાબેન, ભારતીબેન અને મમતાબેનના ક્વાર્ટરના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો જોકે તસ્કરોને સફળતા મળી ના હતી તો ક્વાર્ટરમાંથી તસ્કરો એક સ્થળેથી મોબાઈલ ચોરી કરી ગયા હતા બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે
ઉલ્લેખનીય છે કે મોરબી સિવિલ હોસ્પિટલ રેઢા પડ સમાન જોવા મળે છે અગાઉ પણ હોસ્પિટલમાં દારૂડિયાના ત્રાસની ફરિયાદો જોવા મળી હતી જોકે છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી હોય તેવું ધ્યાને નથી તો હવે સ્ટાફ કવાર્ટરમાં તસ્કરના હાથફેરાને પગલે સ્ટાફમાં ભય અને ફફડાટ જોવા મળી રહ્યો છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...