મોરબી: ભાજપના કાર્યકર્તા વીજપુરવઠાના અધિકારીને સૂચના આપવાની ભૂલી ગયા હશે ખરેખર જે રીતે રોડ રસ્તાની સાફ સફાઈ કરવામાં આવી તેમાં ઉતાવળમાં વીજપુરવઠો પણ બંધના થાય તેવું કહેવાનું હશે પણ ભુલ થઈ ગઈ હવે જિલ્લા ભાજપના પ્રમુખને કેવો ઠપકો આવશે એ તો ભાજપના નેતા જ જાણે ….પણ બન્યું એવું કે મુખ્યમંત્રીના ચાલુ કાર્યક્રમમાં વીજ લાઇન બંધ થતાં બધા આ ગરમીમાં પરસેવે રેબઝેબ થઈ ગયા હતા …પણ કોઈ કશું બોલે નહીં પણ કાર્યક્રમ પૂરો થશે ત્યારે જ જીલ્લા ભાજપને ખબર પડશે જ્યારે નેતા લાલઘુમ થશે …
રાજ્યની ભાજપ સરકાર ૨૪ કલાક વીજળી આપવાના દાવા કરતી હોય છે જોકે એ દાવાઓને આજે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જ વીજ તંત્રએ જુઠા સાબિત કરી દીધા હતા કારણકે મુખ્યમંત્રીનો કાર્યક્રમ શરુ થતા જ વીજળી ગુલ થઇ હતી.
રાજ્યની ભાજપ સરકારના ૧૦૦ દિવસ પૂર્ણ થતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે મોરબી પધાર્યા છે જ્યાં તેઓ કાર્યકર્તાઓ, વહીવટી તંત્ર સહિતની પાંચ બેઠકોમાં હાજરી આપવાના છે જોકે આજે મુખ્યમંત્રી સ્કાય મોલ પહોંચ્યા અને કાર્યક્રમનો શુભારંભ કરાયો ત્યાં જ વીજળી ગુલ થઇ ગઈ હતી.
એક તરફ ૨૪ કલાક વીજળીના દાવા કરતી સરકારના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જ વીજળી ગુલ થતા કાર્યકરો પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા મોરબીમાં આમ પણ ગમે ત્યારે વીજળી ગુલ થઇ જતી હોય છે અને આજે મુખ્યમંત્રીના કાર્યક્રમની શરૂઆત સાથે જ વીજળી ગુલ થઇ ગઈ હતી.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...