મોરબી: મોરબી મચ્છુ નદીના કાઠે આવેલા મચ્છુ માતાજીના મદિર નજીક સ્કૂલ બસ હડફેટે ત્રણ બાળકો સહિત ચાર ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના સર્જાઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયા હતા.
મળતી માહિતી મુજબ મોરબી મચ્છુ નદીના કાઠે આવેલા મચ્છુ માતાજીના મદિર નજીક સ્કૂલ બસ હડફેટએ ત્રણ બાળકો સહિત ચાર ઇજાગ્રસ્ત થયા હતા આ બનાવ અંગે જાણ થતાં જ બાજુમાં રેસકયું કરી રહેલ NDRF અને SDRFના જવાનો તાત્કાલિક અકસ્માત સ્થળે દોડી જઇ ઇજાગ્રસ્ત બાળકો સહિત ચાર લોકોને હોસ્પિટલે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માત કઈ રીતે સર્જાયો તેની કોઈ માંહીતી હજુ સુધી મળી નથી. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...