આજે સોમવાર અને આવતીકાલે મંગળવારે એઆઇપીઇયુ યુનીયન દિલ્હીના આદેશ મુજબ દેશ વ્યાપી પોસ્ટ વિભાગના કર્મચારીની હડતાળ છે જે હડતાલમાં મોરબી જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસનાં કર્મચારીઓ જોડાયા હતા અને તેઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા
મોરબી સહિત દેશના પોસ્ટ વિભાગના કર્મચારીઓની પડતર માંગણીઓ જેવી કે જુની પેન્શન યોજના લાગુ કરે, ૧૮ મહિનાનું એરીયર્સ બાકી છે તે આપે, ફીનાકલ સર્વરનો પ્રોબ્લેમ દુર કરે, જીડીએસ માટે કમલેશ ચંદ્ર કમીટીના રીપોર્ટ મુજબની માંગણીઓ સ્વીકારે વિગેરેને લઈને આજે સોમવાર અને મંગળવારે ભારતના પોસ્ટ કર્મચારીઓ હડતાલ ઉપર છે ત્યારે મોરબી એમડીજી સહિતની તમામ એસઓ અને ગામડાની બીઓના તમામ કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા છે અને મોરબીની મેઇન પોસ્ટ ઓફિસ પાસે સવારના ૮:૩૦ વાગ્યે ધરણાં તેમજ સુત્રોચાર પોસ્ટ વિભગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતા ત્યારે યુનિયનના પ્રમુખ પ્રભાતભાઈ ડાંગર સહિતના આગેવાનો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...