મોરબીમાં વિકાસ પામેલા વિશ્વ વિખ્યાત સિરામિક એસોના વોલ ટાઈલ્સ વિભાગના પ્રમુખની ચુંટણી માટે ત્રણ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી જેમાં એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધા બાદ અન્ય એક હરીફ ઉમેદવારે હરેશભાઈ બોપલીયાને સમર્થન આપતા હરેશભાઈ બોપલીયા બિનહરીફ ચૂંટાયા છે
મોરબી સિરામિક વોલ ટાઈલ્સ એસોના પ્રમુખ તરીકે નીલેશભાઈ જેતપરિયાનો કાર્યકાળ પૂર્ણ થતા તેઓએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું જેથી પ્રમુખ પદની ચુંટણી માટે હરેશભાઈ બોપલીયા, ચતુરભાઈ પાડલીયા અને પ્રદીપભાઈ કાવઠીયાએ ઉમેદવારી નોંધાવી હતી અને ચુંટણી માટે ત્રણ ફોર્મ ભરાયા બાદ ચતુરભાઈ પાડલીયાએ ઉમેદવારી પરત ખેંચી હતી તો પ્રદીપભાઈ કાવઠીયાએ હરેશભાઈ બોપલીયાના સમર્થનમાં દાવેદારી પરત ખેંચી લેતા વોલ ટાઈલ્સ એસો પ્રમુખ તરીકે હરેશભાઈ બોપલીયા બિનહરીફ વિજેતા જાહેર થયા છે ત્યારે સિરામિક એસોના હોદેદારો અને સભ્યોએ શુભેચ્છાઓ પાઠવી છે
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...