ગુજરાત સરકારે રાત્રે 11 વાગ્યે 2027 સુધીની નવી નીતિ જાહેર કરી.
અમદાવાદમાં નવરંગપુરા ખાતે પીએમ નરેન્દ્ર મોદીએ 11 માં ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો પીએમ મોદી નવી દિલ્હી જવા રવાના થયા બાદ રાત્રે 11 વાગ્યે રાજ્ય સરકારે આગામી 2027 માટેની નવી સ્પોર્ટસ નીતિ જાહેર કરી છે આ નવી નીતિમાં મહત્ત્વની જોગવાઈ કરેલ છે કે સ્પોર્ટસ ક્ષેત્રમાં જો કોઈ ખેલાડી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ વિજેતા બને તો તેને સીધી સરકારી નોકરી આપવામાં આવશે આ માટે સરકારના જુદા જુદા વિભાગો દ્વારા વહેલી તકે નિયમો જાહેર કરાશે આ ઉપરાંત બઢતીમાં લાભ અપાશે સ્પોર્ટસના વિકાસ માટે ચાર નવા હાઇ પરફોર્મન્સ સેન્ટર તથા ૮ જેટલા સેન્ટર ઓફ એકસેલન્સ છાપવામાં આવશે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે થતા એશિયન ગેમ્સ સહિતની ગેમ્સમાં વિજેતા કે વિજેતા ખેલાડી ને રોકડ પુરસ્કાર અપાશે.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...