માળિયા મોરબી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા ૨૪ મો સમૂહ લગ્નોત્સવ તા. 3જી મે ૨૦૨૨ના મંગળવાર (અખાત્રીજ)ના રોજ સવારે કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન જોધપર(નદી) ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
લગ્ન મા જોડાવા માગતા યુગલના વાલીઓને આં અંગે પૂછપરછ તેમજ ફોર્મ ભરવા માટે તારીખ ૧૫ માર્ચ ૨૦૨૨થી ૧૦ મે ૨૦૨૨ સુધી માળીયા મોરબી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના કાર્યાલયે શ્રીજી હોલની નીચે માર્કેટ યાર્ડ ની બાજુમાં સનાળા રોડ ખાતે ભરવામાં આવશે ફોર્મ ભરવા માટે જન્મ તારીખ નો ઓરીજનલ દાખલો અથવા સ્કૂલ લિવિંગ સર્ટી ,આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ના ફોટા, વર કન્યાના માતા પિતા ના આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ,રેશન કાર્ડ દરેકની બે બે કોપી ઝેરોક્ષ તથા ઓરીજનલ ડોકિયુમેન્ટ સાથે સમૂહ લગ્ન સમિતિના હોદેદારો પ્રમુખ ડો. મનુભાઈ કૈલા 9825405076, ઉપ પ્રમુખ મણીભાઈ સરડવા 9825695708,જ્યંતી ભાઈ પડસુમિયાં 9825695827,મંત્રી જ્યંતીભાઈ વિડજા 9978921318 સહમંત્રી કમલેશભાઈ કૈલા 9898656985,મગનભાઈ અધારા 9825098079,ખજાનચી ઈશ્વરભાઈ સબાપરા 9427222510,વિનુભાઈ કૈલા 9925360345,જયેશભાઇ રંગપરિયા 9879215000, જયન્તિભાઈ સેરસિયા 9825283287 સવજીભાઈ સુરાણી 9879310620,ચંદુભાઇ કુંડારીયા 9925360244નો સંપર્ક કરવા જણાવ્યું છે
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...