સૌરાષ્ટ્રના દલિત સમાજના આગેવાનોએ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી
તા ૧૦/૪/૨૦૨૨ નાં રોજ ખોડલધામ કાગવડ ખાતે સૌરાષ્ટ્રના દલિત સમાજના આગેવાનો અને કાર્યકરતા ઓં એ કાગવડ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલ સાથે મુલાકાત યોજી નરેશ પટેલ ને ગુજરાત કોંગ્રેસ પાર્ટી માં જોડાવા અને આવનારી ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી નાં ચહેરા તરીકે જાહેર કરવામાં આવે એવી લાગણી સાથે ૮૦થી વધુ સૌરાષ્ટ્રના દલિત સમાજના આગેવાનોએ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલ સાથે મુલાકાત કરી ગુજરાત નાં રાજકીય સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી
નરેશભાઇ પટેલ સાથેની આ મુલાકાત મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ ભાવનીક મુછડીયા, મોરબી જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ પ્રમુખ અશ્વિન પરમાર, મોરબી તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ દામજીભાઈ મકવાણા,મોરબી જિલ્લા કોંગ્રેસ લીગલ સેલ ચેરમેન દીપકભાઈ પરમાર, પૂર્વ સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન રાજુભાઈ ચૌહાણ,રવજી ભાઈ સોલંકી, જગદીશ ભાઈ મુછડીયા, વિનુ પરમાર, ભૂપત મામાં,વિનોદ ચૌહાણ , કિશોર ઉભડિયા, સહિતના અનેક આગેવાનો એ મુલાકાત કરી હતી
સાથે સાથે નરેશભાઈ પટેલ કોંગ્રેસ માં આવે તો ગુજરાત ભરના દલિત સમાજ એમના સાથે રહેશે એવી પણ ખાતરી આપવામાં આવી. દલિત સમાજ ની આવી ભાવ ભરી અપીલ થી નરેશ ભાઈ ગદગદિત થઈ ગયા હતા અને એમને સામાજિક એકતા અને ભાઈ ચારા નો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...