ગુજરાત સરકાર દ્વારા કિસાનો માટે ની રાજ્ય સરકાર ની વિવિધ યોજનાઓ અંગે માહિતીગાર કરવા એપીએમસી ખાતે યોજાયેલ નમો કિશન પંચાયતમાં હાજર રહેલ બંને જિલ્લાના ભાજપના આગેવાનો દ્વારા કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ વિવિધ ખેડૂતલક્ષી કામો હાજર રહેલ કાર્યકર્તાઓને તેમજ ખેડૂતોને જણાવ્યા હતા સાથે જ દરેક ખેડૂત કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરે તેવી પણ અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતીભાઈ કવાડિયા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા,મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ મોરબી, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય પપ્પુભાઈ ઠાકોર,પ્રદેશ કારોબારી સભ્ય રજનીભાઈ સંઘાણી, હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઈ પટેલ,મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી,હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ બકુબેન પઢીયાર,હળવદ નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ પારેજીયા તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ સીણોજીયા તેમજ હળવદ-ધાંગધ્રા ભાજપના અગ્રણીઓ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, હળવદ એપીએમસી ખાતે ધાંગધ્રા હળવદની સંયુક્ત નમો કિસાન પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં નમો કિસાન પંચાયત ચાલુ થયા બાદ થોડીજ મિનિટોમાં ખેડૂતો તેમજ ભાજપના કાર્યકર્તાઓએ ચાલતી પકડી હતી તો એક એ પણ વાત સામે આવી છે કે હાલ ઉનાળો ચાલુ થઈ ગયો હોય જેથી જે હોલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યાં ભારે બફારાના કારણે કાર્યકર્તાઓ અને ખેડૂતોને અકળામણ થઈ હતી.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...