મોરબી : વિશ્વ તમાકુ નિષેધ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ ટોબેકો કન્ટ્રોલ સેલ મોરબી દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થા મોરબી ખાતે વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં તમામ ટ્રેડના તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ અને પોતાની કલાથી વ્યસનની જાગૃતિ દર્શાવતા ચિત્રો દોર્યા હતા એક થી દસ સુધી નંબર મેળવનાર તમામ વિજેતાને ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ઇનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ ટોબેકો કન્ટ્રોલ સેલ દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનની શારીરીક અસરો આર્થિક અસરો અને વ્યસન મુક્તિ ના ફાયદા અંગે માહિતી આપેલ ત્યારબાદ સંસ્થાના આચાર્ય આર.બી. પરમાર દ્વારા ડિસ્ટ્રિક્ટ ટોબેકો કન્ટ્રોલ આભાર માનતા દરેક વિદ્યાર્થીઓને આ કાર્યક્રમના માધ્યમથી દરેક તાલીમાર્થીઓ પોતે વ્યસન મુક્ત બને અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનવા અનુરોધ કર્યો હતો અને વ્યસન મુક્તિ અંગે પોતાનો જાત અનુભવ પણ જણાવેલ આ કાર્યક્રમમાં આરોગ્ય શાખાના આઈ.ઈ.સી અધિકારી જી.વી.ગાંમભવા પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના તમામ સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...