મોરબીના હળવદ તાલુકામાં ગત ૧૨ જૂનના રોજ ભારે વરસાદ પડ્યો હતો જેમાં વરસાદનાં હળવદના સુંદરી ભવાની ગામમાં દિવાલ ધરાસાહી થઈ હતી જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો હતા ત્યારે સરકારે મૃતકના પરિવારને ચાર ચાર લાખની સહાય કરવાનો નિર્ણય લીધો છે.
ગત ૧૨ તારીખના રોજ સુંદરીભવાની ગામમાં ભારે વરસાદ થયો હતો. ભારે વરસાદે એક પરિવારને તહસ- નહસ કરી નાખ્યો હતો સુંદરીભવાની ગામમાં રહેતા દેગામા પરિવારના ત્રણ સભ્યો દિવાલ નીચે દટાઈ ગયા હતા.
સુંદરીભવાની ગામમાં સુંદરીભવાની મંદિર થી કેનાલ તરફ જતા રસ્તા પર આવેલ વાડીની દીવાલ ધરાસાહી થઈ હતી જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યો દટાયા હતા. દેગામા પરિવારના આધારસ્તંભ ત્રણ સભ્યોનો દીવાલે ભોગ લીધો હતો. ત્યારે આજરોજ સરકાર દ્વારા દેગામા પરિવારને ચાર ચાર લાખ રૂપિયા એટલે કે કુલ ૧૨ લાખ રૂપિયાની સહાય મંજુર કરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...