મોરબી નગરપાલિકા કચેરીની બહાર જ મસમોટા પાણીનો ખાડો પડ્યો છે જ્યાં થોડો વરસાદ થતાં જ પાણી ભરાઈ ગયું છે. ત્યારે હજુ સુધી નગરપાલિકા દ્વારા એ ખાડો રિપેર કરવામાં આવ્યો નથી.
નગરપાલિકામાં આવતા જતા અરજદારો, પાલિકાના કર્મચારીઓ તેમજ જાહેર જનતાને પાણીના ખાડા માંથી ચાલીને અંદર જવું પડે છે. પરંતુ નગરપાલિકાને તેની આંખો સામે રહેલ ખાડો લગભગ દેખાતો નહિ હોય. અથવા નગરપાલિકાને આ ખાડો રિપેર કરવામાં રસ નહિ હોય ?
હાલ તો ખાડા પર થી નગરપાલિકા કચેરીમાં જવા માટે પાણી ના ખાડાની વચ્ચે ઈટો મૂકવામાં આવી છે. અરજદારો આ કંટ્રક્સન ની ઈટો પર થી ચાલીને જાઈ છે. ત્યારે જો કોઈ વૃદ્ધ અરજદાર અથવા કોઈ અન્ય નાગરિકનો પગ લપસી ખાડા માં પડે તો જવાબદાર કોણ ??
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...