કેન્દ્ર સરકારના જળ સંપતિ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોરવેલ માટે રૂ.૧૦ હજાર નો ચાર્જ ભરી NOC લેવી પડશે.જેમાં રહેણાકમાં આવતા એપાર્ટમન્ટ,ગ્રુપ હાઉસિંગ સોસાયટી, જળવિતરણ એજન્સી, ઔધોગિક એકમો, સ્વિમિંગ પુલ સહિતના તમામ એકમોએ બોરવેલ બનાવવા માટે જળ સંપતિ વિભાગ પાસેથી NOC લેવી પડશે.
સિંચાઇ માટે તેમજ ખેતી માટે વપરાતા બોરવેલ માટે આ પોલિસી લાગુ પડતી નથી. તમામ ખેડૂતો તેમજ સિંચાઇ સાથે સંકળાયેલ એકમોને NOC માંથી મુક્તિ આપવામાં આવી છે.
