મોરબી : નવલખી રોડ પર અકસ્માતમાં એક યુવાન ઘાયલ
મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર વિસ્તારમાં રહેતા ભરતભાઈ પ્રભુભાઈ અંબાણી નામનો 33 વર્ષનો યુવાન બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે તેનું બાઈક મોડી રાત્રિના દોઢ વાગ્યાના આસપાસ અન્ય એક બાઈક સાથે અથડાતાં માથાના ભાગે ગંભીર રીતે ઘવાયેલ થતા તેને મોરબીની આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યું હતો ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયો છે બનાવીને પગલે હાલમાં એ ડીવિઝન પોલીસ મથકના એચ એમ ચાવડા અને સંજયભાઈ આહીર દ્વારા નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે