ધો.૧૧-૧૨ કોમર્સ ના વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુસર ઔદ્યોગિક મુલાકાત નુ અનેરુ આયોજન.
મોરબી શહેર ની સૌપ્રથમ CBSE સ્કુલ ઓમ શાંતિ ઈંગ્લીશ મિડીયમ સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને ભણતર ની સાથે ગણતર મળી રહે તેમજ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે હેતુસર વિવિધ કાર્યક્રમો નું આયોજન હરહંમેશ કરવા મા આવે છે ત્યારે તાજેતર મા ઓસેમ CBSE સ્કુલ ના ધો.૧૧-૧૨ કોમર્સ ના વિદ્યાર્થીઓને ઔદ્યોગિક પ્રવૃતિઓનુ પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે સમગ્ર વિશ્વ ના સૌથી મોટા સહકારી ક્ષેત્ર ના એકમ અમુલ ડેરી તથા અમુલ ચોકલેટ પ્લાન્ટ ની મુલાકાત નુ આયોજન કરવા માં આવ્યુ હતુ જેમાં બહોળી સંખ્યા માં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
કોમર્સ ના વિદ્યાર્થીઓ માં સંચાલકીય, વાણિજ્યિક તેમજ વ્યવસાયિક ગુણો નો વિકાસ થાય તે અનિવાર્ય છે ત્યારે મોરબી ની ઓસેમ CBSE સ્કુલ ના વિદ્યાર્થીઓ એ અમુલ ડેરી તથા ચોકલેટ પ્લાન્ટ ની મુલાકાત લઈ ત્યાંની ઉત્પાદન પ્રક્રિયા, માર્કેટીંગ ની પધ્ધતિઓ, સંચાલકીય માળખુ, નીતીવિષયક નિર્ણયીકરણ તેમજ અમલ, હીસાબી પધ્ધતિઓ તથા અંકુશ પધ્ધતિઓ વિશે તલસ્પર્શી માર્ગદર્શન મેળવ્યુ હતુ. વિદ્યાર્થીઓ સાથે સ્કુલ ના કોમર્સ ડીપાર્ટમેન્ટ ના સંતોષ સર, દીપીકા મેડમ, અંકીતા મેડમ, વિજય સર સહીત નો સ્ટાફગણ જોડાયો હતો જેમણે વિદ્યાર્થીઓને વિવિધ બાબતો નુ પ્રાયોગિક જ્ઞાન પ્રદાન કર્યુ હતુ.
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસઅર્થે કરાયેલ આ આયોજન બદલ સંસ્થા ના ટ્રસ્ટી નારૂભા જેઠવા સાહેબ, સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, સિધ્ધાર્થભાઈ પટેલ, સુર્યરાજસિંહ જેઠવા, સંસ્થા ના પ્રિન્સિપાલ દીપા શર્મા મેડમ સહીતનાઓએ સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...