અગ્રણી ઉદ્યોગપતિ ક્લીન પ્રોડક્ટ્સ વાળા અશોકભાઈ ખન્ના પરિવાર દ્વારા શ્રી કૃષ્ણજન્મોત્સવ નિમિતે મહાપ્રસાદ નુ આયોજન
મોરબી જલારામ મંદિર ખાતે આજે રાત્રે ૧૧ કલાકે કૃષ્ણજન્મોત્સવ નિમિતે સર્વજ્ઞાતિય જલારામ ભક્તો તેમજ કૃષ્ણ ભક્તો માટે ફરાળ મહાપ્રસાદ તથા મટકીફોડ ના કાર્યક્રમ નુ અનેરૂ આયોજન કરવા મા આવે છે. જેમાં મોરબી ના અગ્રણી ઉદ્યોગપતિ ક્લીન પ્રોડટ્સ વાળા અશોકભાઈ ખન્ના પરિવાર તરફ થી ફરાળ મહાપ્રસાદ યોજાશે.
દરેક જલારામ ભક્તો તેમજ શ્રી કૃષ્ણભક્તો ને સમયસર પધારવા, ફરાળ મહાપ્રસાદ ગ્રહણ કરવા તેમજ મટકીફોડ દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવ ને વધાવવા ઉપસ્થિત રહેવા ભાવભર્યુ નિમંત્રણ છે.
મોરબી: ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં તારીખ 10-02-2026 ના રોજ વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. અને કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.
ઘૂંટુ સબસ્ટેશનમાંથી નીકળતા માંડલ એ.જી. ફીડર મેન્ટેનન્સ કામગીરી અર્થે સવારે 09.00 થી બપોરે 5.00 સુધી બંધ...
મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. 12 ના રોજ એપ્રેન્ટિસની ભરતીના ઇંટરવ્યૂ યોજાનાર છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી યોજના હેઠળ સેનેટરી સબઇન્સ્પેકટરની 30 જગ્યા માટે તા. 12-02-2026ના રોજ વોક ઇન ઇંટરવ્યૂ મોરબી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ગાંધીચોક ખાતે લેવામાં આવનાર છે. આથી ઇંટરવ્યૂ આપવાની ઈચ્છા ધરાવનાર યુવક-યુવતીઓ એ પોતાના સંપૂર્ણ અભ્યાસ અને...
વાંકાનેરમાં ઘરફોડ ચોરી કરતા ઇસમોને ચોરી થયેલ મુદામાલ સાથે બે ઈસમોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા છે.
ગઇ તા.૧૦ જાન્યુઆરીના રોજ રાત્રી દરમ્યાન વાંકાનેર શહેરમાં અલગ અલગ સોસાયટીમાં બંધ મકાનમાં દરવાજાન તાળા તથા નકુચા તોડી મકાનમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપીયાની ચોરી કરેલ હોવાની ઘટના બેનલ હોય...