પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તેમજ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી આગામી દિવસોમાં આવનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા શાંતી પૂર્ણ રીતે થાય તે અનુસંધાને એમ.પી.પંડ્યા , ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર , એસ.ઓ.જી.મોરબી ને એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી જેમાં ગે.કા.હથિયારો રાખતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કે.આર.કેસરીયા . પો.સબ ઇન્સ . , એસ.ઓ.જી. , મોરબી તથા એસ.ઓ.જી.મોરબીના તમામ કર્મચારીઓ વાંકાનેર તાલુકા વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા એ દરમિયાન એમ.પી.પંડ્યા , ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરને બાતમી મળેલ કે , રહીમ રાયધનભાઇ મીયાણા નામનો માણસ હાજર છે જેને શરીરે ચોકડીવાળો શર્ટ તથા કાળા કલરનુ જીન્સનુ પેન્ટ પહેરેલ છે . તેના કબજામાં પીસ્તોલ જેવુ હથિયાર છે જે ઇસમ હાલમા મેસરીયા ગામના તળાવ પાસે ઓરડીમાં છે . તે બાતમીના આધારે રેઇડ કરતા મળેલ હકીકત મુજબ નીચે જણાવ્યા મુજબના નામ સરનામા તથા મુદામાલ સાથે મળી આવેલ તેના વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે .
પકડાયેલ આરોપીનુ નામ સરનામુ રહીમભાઇ રાયધનભાઇ મોવર જાતે મીયાણા ઉ.વ .૩૮ ધંધો મજુરી રહે.વાંકાનેર વીશીપરા રેલ્વેસ્ટેશન પાસે જી.મોરબી
પકડાયેલ મુદામાલની વિગત ( ૧ ) ગે.કા.દેશી બનાવટની પીસ્તોલ નંગ -૧ , કી.રૂ.૧૦,૦૦૦ ( ર ) જીવતા કાર્ટીઝ નંગ -૨ કી.રૂ .૨૦૦ / – મળી કુલ કિં.રૂ. ૧૦,૨૦૦ / -ના મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવેલ છે
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...