મતદાનનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ જીત જયંતિભાઈ પટેલની નજીક સરકી રહી છે
મોંઘવારીથી પરેશાન ગ્રામ્ય અને શહેરી જનતા દ્વારા થઈ રહ્યું છે કોંગ્રેસના પ્રચારકોનું ઉંમળકા ભેર સ્વાગત
મોરબી : મોરબીમાં મતદાનનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ ચૂંટણી ચિત્ર નિત નવા મોડ પર કરવટ બદલી રહ્યું છે. પોતાના પ્રચાર અભિયાનમાં પહેલેથી જ પોતાના પ્રતિસ્પર્ધી ઉમેદવારો પર સરસાઈ મેળવી ચૂકેલા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતિભાઈ પટેલને મોરબી શહેર તેમજ મોરબી-માળીયાના ગ્રામ્ય વિસ્તારો સહિત સમગ્ર મોરબી માળિયા વિધાનસભામાં જનતાનો જે રીતે ઉષ્મા સભર પ્રતિસાદ સાંપડયો છે તે જોતા લાગે છે કે જયંતીભાઈ પટેલનો વિજય હવે સુનિશ્ચિત થવા જઈ રહ્યો છે.
મોરબી-માળિયા વિસ્તારમાં જે પ્રકારે ખેડૂતોને સિંચાઈના પાણી માટે વલખાં મારવાં પડી રહ્ય છે તેમજ પચીસ પચીસ વર્ષથી એક હથુ ભાજપનું શાસન હોવા છતા માળિયાના ખેડૂતોને પોતાની ખેતી બચાવવા માટે પુરતા પ્રમાણમાં સિંચાઇનું પાણી મળી રહ્યું નથી. જયારે ઉભો પાક શુકાતો હોય ત્યારે ખેડૂતોને પાણી માટે વલખાં મારવાં પડે છે પાણી સહીતના અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી આ મુદ્દાઓના હલ માટે મોરબી-માળીયા વિસ્તારના લોકો કોંગ્રેસ ઉમેદવાર જયંતિભાઈ પટેલને વિજય બનાવવાના કોલ આપી રહ્યા છે. મોરબી માળિયા વિસ્તારના દરેક ગામડાઓમાં કોંગ્રેસ પક્ષના જોશીલા ઉમેદવાર જયંતિભાઈ પટેલને જબર પ્રતિસાદ મળી રહ્યો છે. જયંતીભાઈ પટેલના જબર જસ્ત ચૂંટણી પ્રદર્શનને કારણે ભાજપ અને આમ આદમી પાર્ટીના ડબા ગુલ થઇ ગયા હોય તેવું વાતાવરણ છે જેને કારણે તેઓ માર્કેટમાં દેખાવા માટે મરણીયો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ક્યાયથી દાળ ગળતી નથી. સમગ્ર મોરબી વિસ્તારનું આકલન કરતા એ વાત સ્પષ્ટ જણાય છે કે જયંતીભાઈ પટેલ પોતાની ભવ્ય જીત તરફ અગ્રેસર આગળ વધી રહ્ય છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...