મોરબી : મોરબીના રેલવે સ્ટેશન પાસે આવેલ ધક્કાવાળી મેલડીમાંના મંદિર દ્વારા માળિયા તાલુકાના મોટી બરાર મુકામે આવેલી મોડેલ સ્કુલ,અને પ્રાથમિક શાળા, મેઘપર માધ્યમિક અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા મોડેલ સ્કૂલના 224 વિદ્યાર્થીઓ, પ્રાથમીકના 100 મેઘપરની માધ્યમિક શાળા 220 વિદ્યાર્થીઓ અને પ્રાથમિક શાળાઓમાં 120 વિદ્યાર્થીઓ એમ કુલ 664 વિદ્યાર્થીઓને ત્રણ ત્રણ એમ કુલ 2000 જેટલી ફૂલસ્કેપ બુકનું વિતરણ કરાયું છે.
ધક્કાવાળી મેલડીમાં મંદિરના કાર્યકર્તાઓ ઘનુભા જાડેજા,વિનુભાઈ ડાંગર, રમેશભાઈ વાંસદડીયા તેમજ માધાપરવાડી શાળાના શિક્ષણ અગ્રણી કાળુભાઈ પરમાર વગેરેનું શાળા પરિવારે પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી આભાર પ્રકટ કર્યો.મંદિર દ્વારા રાહતદરે દવાખાનું,દશ રૂપિયાના ટોકન પર દવા ફ્રી આપવી, દરરોજ પચાસ મણ લીલું ઘાસ ગાયોને ખવડાવવું, દર મહિને દશ મણ ચણ પંખીઓને નાખવી,દર રવિવારે અને મંગળવારે સવા મણ લાપસી ગુંદી-ગાંઠીયાની પ્રસાદ આપવો,દર વર્ષે નવરાત્રી અને ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં માતા-પિતા વગરની અગિયાર નિરાધાર દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવે છે. દરેક દીકરીને સોના-ચાંદીના ઘરેણાં સહિત રૂપિયા અઢી લાખનો કરિયાવર આપવામાં આવે છે. આમ મેલડી માઁની કૃપાથી વર્ષ દરમ્યાન અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
કાર્યક્રમ દરમિયાન દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પોતાના વક્તવ્ય દ્વારા તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમના અંતે શાળાના આચાર્યબી.એન.વિડજાએ આભાર વિધિ દ્વારા તમામ દાતાઓનો આભાર પ્રકટ કર્યો હતો.
મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (GDCR) - 2017 ના નિયમો અને જોગવાઈઓ અનુસાર, Person on Record (P.O.R.) તરીકે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ રજિસ્ટ્રેશનનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી વિકાસ અને બાંધકામ સંબંધિત પ્રવૃત્તિઓમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાનો છે. P.O.R. રજિસ્ટ્રેશન માટે અરજી કરનાર વ્યક્તિએ ગુજરાત...
સુરજબારી ચેક પોસ્ટ પાસે, કચ્છ-મોરબી હાઇવે ઉપરથી સ્કોર્પીઓ એન ગાડીમાં ભરેલ IMFL ની બોટલો નંગ-૪૨૦ કી રૂ.૫,૫૦,૮૦૦/- તથા કાર મોબાઇલ ફોન મળી કુલ રૂ ૧૫,૫૮ ,૮૦૦ /- ના મુદામાલ સાથે પધ્ધર પોલીસ સ્ટેશન તથા પ્રાગપર પોલીસ સ્ટેશન તથા જામનગર એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં લાંબા સમય થી પ્રોહિબીશનના ગુન્હામાં નાસતા...
મોરબી શહેરમાં આવેલ મચ્છુ -૦૩ માં જુના આરટીઓ ઓફિસ પાસે પુલ ઉપરથી અવારનવાર માણસો આપઘાત કરે છે ત્યારે આ પુલ પુલ પર જારી બાંધવા અથવા પતરા નાખવામાં આવે તેવી મોરબીના સમાજીક કાર્યકરોએ મહાનગરપાલિકાના કમિશ્નર અને કલેક્ટરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબી મચ્છુ-૩ ડેમ પર અવાર - નવાર આપઘાતના...