સાવધાન : રાજ્યમાં આજે કોરોનાના 119 કેસ નોંધાયા

મોરબી: રાજ્યમાં કોરોના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. ગઈકાલે કોરોનાના 58 કેસ નોંધાયા બાદ આજે 24 કલાકમાં કેસમાં બમણા જેટલો વધારો જોવા મળ્યો છે. આજે કોરોનાના 119 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયો છે. ગુજરાતની જનતાને સાવચેત રહેવાની તેમજ જરૂરિયાત લાગે તો તુરંત જ સારવાર માટેની આરોગ્ય અધિકારીઓ દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે.

20 દર્દીઓને ડિસ્ચાર્જ,5 દર્દી વેન્ટિલેટર પર

તો બીજી તરફ, 20 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 5 દર્દીને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 435 એક્ટિવ કેસ છે. જ્યારે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી. કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11,047 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img