મોરબીમાં પરણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી: મોરબીના શનાળા રોડ ઉપર આવેલ છોટાલાલ પેટ્રોલપંપની સામે ભેખડની વાડી વાળી જગ્યાએ પોતાના ઘરે પરીણીતાએ ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ચંન્દ્રીકાબેન ચંન્દ્રકાંતભાઈ પરમાર (ઉ.વ.૨૩) એ ગત તા.૨૪-૦૪-૨૦૨૩ ના રોજ રોજ ભેખડની વાડી છોટાલાલ પેટ્રોલપંપ સામે શનાળા રોડ તા.જી. મોરબી વાળી જગ્યાએ પોતાના પતિના ઘરે પોતાની જાતે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જતાં ચંન્દ્રીકાબેનનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.