મોરબી: શારીરીક અને માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ પરણીતાએ ફરીયાદ નોંધાવી
મોરબી: મોરબીના મહેન્દ્રપરામા પરણીતાને સાસરીયા પક્ષ દ્વારા ઘરકામ બાબતે મેણા ટોણા મારી ચારીત્ર અંગે શંકા કરી શારીરીક અને માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ પરણીતાએ મોરબી મહીલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરા રહેતા રેશ્માબેન ઈમરાનભાઈ ગાલાબએ આરોપી ઈમરાનભાઈ આમદભાઈ (પતિ), ગુલામભાઈ આમદભાઈ (જેઠ), ફરીદાબેન ગુલામભાઈ (જેઠાણી) , સલીમભાઈ આમદભાઈ (જેઠ), સાયમાબેન સલીમભાઈ (જેઠાણી), મુસાભાઈ આમદભાઈ (જેઠ), સાહીનબેન મુસાભાઈ (જેઠાણી), આદમભાઈ આમદભાઈ (જેઠ), હલીમબેન આમદભાઈ (સાસુ), આમદભાઈ જુમાભાઈ (સસરા) બધા રહે-મહેન્દ્રપરા મોરબી વાળ વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૪-૦૭-૨૦૨૧ થી ૧૩-૦૩-૨૦૨૩ દરમ્યાન ફરીયાદીને સાસરીયાપક્ષના આરોપીઓએ અવાર-નવાર ઘરકામ બાબતે તેમજ નાની-નાની બાબતોમા મેણાટોણા મારી તેમજ ચારીત્ર્ય અંગે શંકા કરી મને શારીરિક તેમજ માનસિક દુ:ખ ત્રાસ આપી તેમજ ફરીયાદીને આરોપી જેઠ આદમભાઈ એ લાકડી વડે વસાના ભાગે તથા ખંભાના ભાગે માર મારી તથા જેઠ મુસાભાઇ તથા જેઠણી સાહિનબેન ઢીકા પાટુનો માર મારી આરોપી પતિ ઈમરાને લાકડી વડે માથના ભાગે તથા શરીરે તથા પગે માર મારી ઈજાઓ પહોચાડી તેમજ સાસુ હલીમાબેન સસરા આમદભાઈ જેઠ સલીમભાઈ તથા સાયનાબેન તથા જેઠ ગુલામભાઇ તથા ફરીદાબેન ઢીકાપાટુનો માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર રેશ્માબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી મહીલ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૪૯૮(ક), ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી. એક્ટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
