ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ દ્વારા દરેક જીલ્લામાં ફાયર નું માળખું સુવ્યવસ્થિત થાય એ હેતુ થી મોરબી જીલ્લાને ઈમરજન્સી રેસ્ક્યુ વાહન ફાળવવામાં આવ્યું છે.
આ વાહનમાં રેસ્ક્યુ કાર્ય સરળતાથી કરી શકાય એવા અદ્યતન હાઈડ્રોલીક અને ઈલેક્ટ્રીકલ સાધનો તથા સાધનો ને ચલાવવા માટેના જનરેટર સેટ આપેલા છે. કાર અકસ્માત બચાવ કામગીરી તેમજ બિલ્ડીંગ ધરાશાયી બચાવ કામગીરી માં જરૂરી કટિંગ, સ્પ્રેડિંગ, લીફટીંગ અને પુલિંગ માટેના સાધનો , આગ સમયે ધુમાડો થતા અંદર ફસાયેલ વ્યક્તિની બચાવ કામગીરી કે ફાયરમેન ને કૃત્રિમ શ્વાસ મળી સકે તે માટે BA સેટ (કૃત્રિમ શ્વસન યંત્ર), આગ સમયે ઘટના સ્થળ પરથી ધુમાડો બહાર કાઢવા માટેના વેન્ટીલેટર, ફાયર મેન એક્ષ, ફાયર બ્લેન્કેટ, રેસ્ક્યુ નેટ, મેન્યુઅલ કટિંગ અને બ્રેકીંગ ટૂલ્સ, ક્લોરીન લીકેજ કીટ, ઘાયલ વ્યકિતને એમ્બ્યુલન્સ સુધી પહોચાડવા માટેના અલગ-અલગ સ્ટ્રેચર, એક્ષ્પ્લોઝન પ્રૂફ લેમ્પ, ઈમરજન્સી સમયે જરૂરી ફલડ લાઈટ વગેરે સાધનો છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...