Tuesday, May 13, 2025

મોરબી જલારામ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિંન્દુ પરિષદની બેઠક યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જલારામ મંદિર ખાતે રવિવારે રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયાની હાજરીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંત બેઠક યોજાશે

મોરબી: તાજેતરમાં પટના બિહાર ખાતે મળેલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની કેન્દ્રીય બેઠકમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગામી કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચા કરવા માં આવી હતી. જે અંતર્ગત આગામી રવિવાર તા.૨૩-૭- ૨૦૨૩ ના રોજ મોરબી જલારામ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાશે

જેમાં હિન્દુ હ્રદય સમ્રાટ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકારી અધ્યક્ષ બકુલભાઈ ખાખી, સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી સહીતના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

પ્રાંત બેઠક સવારે ૯ થી સાંજે ૫ કલાક સુધી યોજાશે જેમાં સમગ્ર સૌરાષ્ટ્રના વિવિધ વિભાગ, જીલ્લા તથા તાલુકા ના સક્રિય પદાધિકારીઓને ઉપસ્થિત રહેવા સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ મા.ડો. જે.જી.ગજેરા, સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી શશીકાંતભાઈ પટેલ, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી નિર્મલસિંહ ખુમાણે સંયુક્ત યાદીમાં જણાવ્યુ છે.

પ્રાંત બેઠકને સફળ બનાવવા મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત, શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, શહેર મંત્રી નિર્મિતભાઈ કક્કડ, કૌશલભાઈ જાની સહીતના પદાધિકારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર