મોરબી: મોરબીમાં બીમારીથી કંટાળી ઝેરી દવા પી જતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ બીપીનભાઇ રતીલાલ ભટ્ટ ઉ.વ.૬૫ રહે મોરબી વસંતપ્લોટ શેરી નં-૧૩ લુવાણા બોડીંગ પાસે તા.જી.મોરબીવાળા છેલ્લા ચાર પાંચ મહીનાથી માનસીક બિમારી હોવાથી માનસીક દવા ચાલુ હોય જે બિમારીથી કંટાળી જતા પોતે પોતાના ઘરે કોઇ ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
