રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા ગઇકાલ સાંજે વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજની આસ્થાના પ્રતિક સમા હઝરત પીર સૈયદ મીરૂમીયા બાવા દરગાહની 101માં ઉર્ષના મોકા પર મુલાકાત લઈ તાજેતરમાં જ વફાત થયેલ પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના ધર્મગુરૂ હઝરત પીર સૈયદ ખુર્શીદહૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ સાથે જ દરગાહની મુલાકાત બાદ પરેશ ધાનાણી દ્વારા શહેર નજીક આવેલ વેલનાથ બાપુ – માંધાતા બાપુ મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા હતા, જ્યાં મંદિર પરિસરમાં કોળી સમાજના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, આ સાથે વાંકાનેર કરણી સેનાના અને ક્ષત્રિય સમાજના આગેવાનો પણ અહીં પહોંચી પરેશ ધાનાણીનું ફુલ-હારથી સન્માન કરતા રાજકીય હલચલ તેજ બની છે.
ટંકારા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરમાં રોડ રસ્તા, પાણી પ્રશ્ન, ભુગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ વગેરે જેવા પ્રશ્નોનુ નિરાકરણ લાવવા ટંકારા નગરપાલિકા અને મામલતદારને રજૂઆત કરી હતી.
ટંકારા કોંગ્રેસ સમિતિ દ્વારા ટંકારા નગર પાલિકા અને મામલતદારને આવેદનપત્ર પાઠવી કોંગ્રેસ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા ભુપતભાઈ ગોધાણી, મોરબી જિલ્લા મહામંત્રી રમેશ રબારી, યુવા નેતા...
આજે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે કમિશનર સ્વપ્નિલ ખરે, કોર્પોરેશનના સ્ટાફ તેમજ ગુજરાત ગેસ લિમિટેડ મોરબી એરીયાના હેડ કમલેશ કંટારીયા તથા ગુજરાત ગેસ લિમિટેડ ના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું.
"વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો" અને વૃક્ષો એ પ્રકૃતિના ફેફસા છે તેને સાર્થક...
ટંકારા ખજુરા હોટલના ગ્રાઉન્ડમાં થયેલ લુંટના ગુન્હામાં વધુ એક આરોપીને રોકડ રૂ.૧,૦૦,૦૦૦/- ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
ગત તા.૨૧ મેં ના રોજ નિલેષભાઇ મનસુખભાઇ ભાલોડી રહે. રાજકોટ તથા જયસુખભાઈ સુંદરજીભાઈ ફેફર રહે. રાજકોટ વાળા બન્ને રાજકોટ ૧૫૦ ફુટ રોડ ઉપર આવેલ ટી. એન્ટરપ્રાઈઝ (ટીટેનીયમ) નામની આંગળીયા પેઢીના...