મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા સદ્ગત પિતાની ૩૦મી પુણ્યતિથી નિમિતે અઘારા પરિવાર દ્વારા મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
સ્વ.ત્રિભોવનભાઈ રાઘવજીભાઈ અઘારા ની ૩૦ પૂણ્યતિથી નિમિતે પરિવારજનોએ સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી
સ્વ.ત્રિભોવનભાઈ રાઘવજીભાઈ અઘારા ની ૩૦મી પૂણ્યતિથી નિમિતે તેમના સુપુત્રો દિવ્યેશભાઈ તથા વિકાસભાઈ દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી.
આ તકે મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, સુનિલભાઈ પુજારા, ચિરાગ રાચ્છ સહીતનાઓએ સદ્ગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે આજની પેઢી સ્વજનના અવસાન બાદ થોડા વર્ષોમા પોતાના જીવનમા વ્યસ્ત થઈ જતી હોય છે તેમજ સ્વજન ગુમાવવાનુ દુ:ખ વિસરાય જતુ હોય છે ત્યારે મોરબીના અઘારા પરિવાર દ્વારા ૩૦-૩૦ વર્ષ સુધી પણ સ્વજનની યાદમા પ્રેરણાદાયી કાર્યો કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી રહી છે જે ખરેખર સમાજ માટે પ્રેરણાદાયી બાબત છે.
મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીલાપર રોડ ખાતે સંસ્કાર બ્લડ બેન્કના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં “રકતદાન મહાદાન” ની ઉકિતને સાર્થક કરતાં આ કેમ્પમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ તેમજ આસપાસના વિસ્તારના લોકો દ્વારા રકતદાન કરવામાં આવ્યું હતું. દરેક યુવાન તંદુરસ્ત વ્યક્તિએ...
ભારત વિકાસ પરિષદ મોરબી શાખા તથા ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન મોરબી દ્વારા આગામી તારીખ ૧૭-૦૬-૨૦૨૫ ને મંગળવારના રોજ રાત્રીના ૦૯ થી ૧૦:૩૦ કલાકે મોરબીના રવાપર રોડ પર આવેલ નિલકંઠ વિદ્યાલય સામે I.M.A હોલ ખાતે ગર્ભસંસ્કાર કાર્યશાળાનુ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સંપૂર્ણ નિઃશુલ્ક છે.
શું આપ શ્રેષ્ઠ સંતાન માટેના પ્રયત્નો...
મોરબી તાલુકાના પંચાસર ગામે ગાડા મારગ નું કામ ચાલું હોય તેથી ટ્રેક્ટરો માટી ભરી ચાલતા હોય ત્યારે યુવકના ઘર સામે માટી તથા પથ્થર પડેલ હોય જેથી આ માટી સાફ કરાવવા કહેતા આરોપી ઉશ્કેરાઇ યુવકને માર મારી જાતી પ્રત્યે હડધૂત કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પંચાસર...