મોરબી: મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી જિલ્લામાં આવેલા આહીર સમાજનાં ગામોમાં ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા આહીર સમાજનાં વિદ્યાર્થીઓ માટે 1 એપ્રિલ 2024 રોજ સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી જિલ્લામાં આવેલા આહીર સમાજનાં ગામોમાં ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા આહીર સમાજનાં વિદ્યાર્થીઓ માટે 1 એપ્રિલ 2024 રોજ સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું.જેમાં 425 જેટલાં વિદ્યાર્થીઓએ કસોટીમાં ભાગ લીધો હતો. જેમાંથી 22 વિદ્યાર્થીઓએ પ્રથમ, 23 વિદ્યાર્થીઓએ દ્વિતીય અને 18 વિદ્યાર્થીઓએ તૃતીય એમ કુલ 63 વિદ્યાર્થીઓએ નંબર મેળવ્યા.જેઓને પ્રોત્સાહન રૂપે દાતા તરીકે પ્રો. ડૉ.રામભાઈ વારોતરીયા દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મંત્રી મયુરભાઈ ગજીયા તેમજ સમગ્ર કારોબારી સભ્યો અને કર્મચારી મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.
મોરબી: આજે વોર્ડ નંબર -૦૧ માં મોરબીના વાવડી રોડ ઉપર ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
લોકસભા ચુંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે સમગ્ર રાજ્યમાં જોરશોરથી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો પોતાની પાર્ટીઓનો પ્રચાર કરી રહ્યા છે ત્યારે આજે વોર્ડ નં -૦૧ મા મોરબીના વાવડી રોડ ખાતે ભાજપ કાર્યાલયનું...
મોરબી: ભગવાન પરશુરામદાદાના જન્મોત્સવની રંગે ચંગે ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા આયોજીત પરશુરામ શોભાયાત્રા નિમિતે ક્રિમ લચ્છી વિતરણ કરવામાં આવશે.
ભુદેવોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામદાદાનો આગામી તા.10મેના રોજ જન્મોત્સવ આવી રહ્યો છે. ત્યારે મોરબીમાં પણ ભગવાન પરશુરામદાદાના જન્મોત્સવની રંગે ચંગે ઉજવણી માટે...