મોરબી: મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી જિલ્લામાં આવેલા આહીર સમાજનાં ગામોમાં ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા આહીર સમાજનાં વિદ્યાર્થીઓ માટે 1 એપ્રિલ 2024 રોજ સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી જિલ્લામાં આવેલા આહીર સમાજનાં ગામોમાં ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા આહીર સમાજનાં વિદ્યાર્થીઓ માટે 1 એપ્રિલ 2024 રોજ સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું.જેમાં 425 જેટલાં વિદ્યાર્થીઓએ કસોટીમાં ભાગ લીધો હતો. જેમાંથી 22 વિદ્યાર્થીઓએ પ્રથમ, 23 વિદ્યાર્થીઓએ દ્વિતીય અને 18 વિદ્યાર્થીઓએ તૃતીય એમ કુલ 63 વિદ્યાર્થીઓએ નંબર મેળવ્યા.જેઓને પ્રોત્સાહન રૂપે દાતા તરીકે પ્રો. ડૉ.રામભાઈ વારોતરીયા દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મંત્રી મયુરભાઈ ગજીયા તેમજ સમગ્ર કારોબારી સભ્યો અને કર્મચારી મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.
મોરબીના જેતપર ગામે હાઈટેન્શન વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 14મા દિવસે પણ યથાવત રહ્યું છે, જેમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. ખેડૂતોના સમર્થનમાં આવેલા જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી અને ખેડૂત નેતા નિલેશ એરવાડિયા વચ્ચેની વાતચીતનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ...
જુલાઈ મહિનાની શરૂઆત દેશના નાગરિકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની પહેલી તારીખે થતી કિંમતોની સમીક્ષા અંતર્ગત 1 જુલાઈ, 2026થી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹183નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં જે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3,113.50 હતો, તે હવે સસ્તો...
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...