મોરબી: મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી જિલ્લામાં આવેલા આહીર સમાજનાં ગામોમાં ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા આહીર સમાજનાં વિદ્યાર્થીઓ માટે 1 એપ્રિલ 2024 રોજ સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી જિલ્લામાં આવેલા આહીર સમાજનાં ગામોમાં ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા આહીર સમાજનાં વિદ્યાર્થીઓ માટે 1 એપ્રિલ 2024 રોજ સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું.જેમાં 425 જેટલાં વિદ્યાર્થીઓએ કસોટીમાં ભાગ લીધો હતો. જેમાંથી 22 વિદ્યાર્થીઓએ પ્રથમ, 23 વિદ્યાર્થીઓએ દ્વિતીય અને 18 વિદ્યાર્થીઓએ તૃતીય એમ કુલ 63 વિદ્યાર્થીઓએ નંબર મેળવ્યા.જેઓને પ્રોત્સાહન રૂપે દાતા તરીકે પ્રો. ડૉ.રામભાઈ વારોતરીયા દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મંત્રી મયુરભાઈ ગજીયા તેમજ સમગ્ર કારોબારી સભ્યો અને કર્મચારી મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.
મોરબી: મોરબીમાં કુદરતી વરસાદ કે વાવાઝોડું આવે તો શહેરમાં જાહેરાતના લગાવેલ મોટા મોટા હોર્ડિંગથી આમ જનતાને નુકસાન થઈ શકે છે જેથી આ હોર્ડિંગ તાત્કાલિક ધોરણે દુર કરવા સામજીક કાર્યકરો દ્વારા મોરબી નગરપાલિકા , કલેકટર તથા તંત્રને લેખિત રજૂઆત કરી છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, સેતા ચિરાગ મનોજભાઈ,...
મોરબી: મૂળ જાજાસર ગામના વતની અને હાલ મોરબી રહેતા રેખાબેન હિંમતભાઈ સુરેલીયાનુ તા.૧૬-૦૫-૨૦૨૪ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
મૂળ જાજાસર ગામના વતની અને હાલ મોરબી રહેતા સ્વ. રેખાબેન હિંમતભાઈ સુરેલીયા( ઉ વર્ષ ૬૩) નું તારીખ-૧૬-૦૫-૨૦૨૪ને ગુરૂવારના રોજ શ્રી વિશ્વકર્મા ચરણ પામેલ છે તેઓ હિંમતભાઈ સુરેલીયાના ધમઁ પત્ની તેમજ અજયભાઇ...
ધાર્મિક યાત્રાથી આશ્રમે પરત ફર્યા પછી ટુકી બિમારીમાં રામ ચરણ પામ્યા.
જનજન ને જમાડવામાં જેને જપ તપ જેટલો આનંદ આવતો એવા પ્રાણદાસ બાપુની વિદાયથી શાંતિ આશ્રમમાં શોકનો માહોલ અવલ મંજીલ ની યાત્રા માટે સેવક મંડળ દ્વારા બપોરે 1:30 વાગ્યાનો સમય નિર્ધારિત કર્યો.
ટંકારા કોઠારીયા રોડ ઉપર સિતરામાતાની ધાર ના રસ્તે આવેલા...