મોરબી: મોરબી મુનનગર ચોકથી આગળ આવેલ ન્યૂચંદ્રેશ સોસાયટીમાં આવેલ બળિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી.
મોરબીના મુનનગર ચોકથી આગળ આવેલ ન્યૂચંદ્રેશ સોસાયટીમાં આવેલ બળિયા હનુમાન મંદિર ખાતે આજે પવનપુત્ર બજરંગબલીના જન્મોત્સવની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. ભગવાન રામના પરમ ભક્ત તથા શિવજીના રુદ્રાવતાર અને પવન પુત્ર ભગવાન બજરંગ બલીના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનજીને વિશૅષ શણગાર કરવામાં આવ્યો હતો સવારથી મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી અને હનુમાન મંદિરોમાં વિશેષપૂજા અરચના કરાઈ હતી. સવારમાં હનુમાનજીની મૂર્તિને તિલક કરી વાઘા બદલવામાં આવી હતા અને ત્યારબાદ ભક્તોએ દર્શન કર્યા હતા. જ્યારે બપોરના બળિયા હનુમાનજી મંદિર ખાતે પ્રસાદનુ આયોજન કરવામાં આવ્યું છે અને બપોરબાદ શોભાયાત્રાનુ આયોજન કરેલ છે તેમજ સાંજના ભજન, કીર્તનનુ પણ આયોજન કરવામાં આવેલ છે.
મોરબીના જેતપર ગામે હાઈટેન્શન વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 14મા દિવસે પણ યથાવત રહ્યું છે, જેમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. ખેડૂતોના સમર્થનમાં આવેલા જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી અને ખેડૂત નેતા નિલેશ એરવાડિયા વચ્ચેની વાતચીતનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ...
જુલાઈ મહિનાની શરૂઆત દેશના નાગરિકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની પહેલી તારીખે થતી કિંમતોની સમીક્ષા અંતર્ગત 1 જુલાઈ, 2026થી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹183નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં જે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3,113.50 હતો, તે હવે સસ્તો...
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...