મોરબી: મોરબી મુનનગર ચોકથી આગળ આવેલ ન્યૂચંદ્રેશ સોસાયટીમાં આવેલ બળિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી.
મોરબીના મુનનગર ચોકથી આગળ આવેલ ન્યૂચંદ્રેશ સોસાયટીમાં આવેલ બળિયા હનુમાન મંદિર ખાતે આજે પવનપુત્ર બજરંગબલીના જન્મોત્સવની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. ભગવાન રામના પરમ ભક્ત તથા શિવજીના રુદ્રાવતાર અને પવન પુત્ર ભગવાન બજરંગ બલીના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનજીને વિશૅષ શણગાર કરવામાં આવ્યો હતો સવારથી મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી અને હનુમાન મંદિરોમાં વિશેષપૂજા અરચના કરાઈ હતી. સવારમાં હનુમાનજીની મૂર્તિને તિલક કરી વાઘા બદલવામાં આવી હતા અને ત્યારબાદ ભક્તોએ દર્શન કર્યા હતા. જ્યારે બપોરના બળિયા હનુમાનજી મંદિર ખાતે પ્રસાદનુ આયોજન કરવામાં આવ્યું છે અને બપોરબાદ શોભાયાત્રાનુ આયોજન કરેલ છે તેમજ સાંજના ભજન, કીર્તનનુ પણ આયોજન કરવામાં આવેલ છે.
મોરબી: આજે વોર્ડ નંબર -૦૧ માં મોરબીના વાવડી રોડ ઉપર ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
લોકસભા ચુંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે સમગ્ર રાજ્યમાં જોરશોરથી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો પોતાની પાર્ટીઓનો પ્રચાર કરી રહ્યા છે ત્યારે આજે વોર્ડ નં -૦૧ મા મોરબીના વાવડી રોડ ખાતે ભાજપ કાર્યાલયનું...
મોરબી: ભગવાન પરશુરામદાદાના જન્મોત્સવની રંગે ચંગે ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા આયોજીત પરશુરામ શોભાયાત્રા નિમિતે ક્રિમ લચ્છી વિતરણ કરવામાં આવશે.
ભુદેવોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામદાદાનો આગામી તા.10મેના રોજ જન્મોત્સવ આવી રહ્યો છે. ત્યારે મોરબીમાં પણ ભગવાન પરશુરામદાદાના જન્મોત્સવની રંગે ચંગે ઉજવણી માટે...