મોરબી: મોરબી મુનનગર ચોકથી આગળ આવેલ ન્યૂચંદ્રેશ સોસાયટીમાં આવેલ બળિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી.
મોરબીના મુનનગર ચોકથી આગળ આવેલ ન્યૂચંદ્રેશ સોસાયટીમાં આવેલ બળિયા હનુમાન મંદિર ખાતે આજે પવનપુત્ર બજરંગબલીના જન્મોત્સવની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. ભગવાન રામના પરમ ભક્ત તથા શિવજીના રુદ્રાવતાર અને પવન પુત્ર ભગવાન બજરંગ બલીના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનજીને વિશૅષ શણગાર કરવામાં આવ્યો હતો સવારથી મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી અને હનુમાન મંદિરોમાં વિશેષપૂજા અરચના કરાઈ હતી. સવારમાં હનુમાનજીની મૂર્તિને તિલક કરી વાઘા બદલવામાં આવી હતા અને ત્યારબાદ ભક્તોએ દર્શન કર્યા હતા. જ્યારે બપોરના બળિયા હનુમાનજી મંદિર ખાતે પ્રસાદનુ આયોજન કરવામાં આવ્યું છે અને બપોરબાદ શોભાયાત્રાનુ આયોજન કરેલ છે તેમજ સાંજના ભજન, કીર્તનનુ પણ આયોજન કરવામાં આવેલ છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...