મુસ્કાન વેલફેર સોસાયટી, જે અનુકૂળ અને નેક કામો માટે જાણીતી છે, તેમને દ્વારા તાજેતરમાં 2nd જૂન એ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ – વોટરકૂલર સ્થાપન કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરાયો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ગરમ હવામાનમાં પ્યાસી જનતાને તાજું અને ઠંડુ પાણી પૂરુ પાડવાનો હતો.
વિશેષ માહિતી અનુસાર, આ વોટર કૂલર શનાળા રોડ, ઉમિયા સર્કલએ, ઉમિયાનગર સોસાયટીના દરવાજા પાસે મૂકવામાં આવ્યું છે.
મુસ્કાન વેલફેર સોસાયટીના સદસ્યો એ જણાવ્યુ કે, “આ પ્રોજેક્ટ અમારી સમાજસેવામાં એક નવો માઇલસ્ટોન છે. અમે હંમેશા લોકોની પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કામ કરીએ છીએ અને હૂંફથી પરિપૂર્ણ કરવા પ્રયાસ કરીએ છીએ.”
આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં માનવ સેવા સંઘનો બહુ મોટો ફાળો છે. મુસ્કાન વેલફેર સોસાયટી, માનવ સેવા સંઘનો ખૂબ ખૂબ આભાર માને છે.
આમ, મુસ્કાન વેલફેર સોસાયટીનું આ પ્રોજેક્ટ પ્રેરણાદાયક મિસાલ છે. તે અન્ય સંસ્થાઓ અને લોકો માટે એક ઉદાહરણરૂપ છે કે, કેવી રીતે નાના પણ મહત્વપૂર્ણ પગલાઓથી સમાજની સુખાકારી માટે યોગદાન આપી શકાય છે.
આજે વિશ્વ યુવા કુશળતા દિવસ નિમિત્તે મહાત્મા ગાંધી ઉત્તર બૂનિયાદી માધ્યમિક વિધાલય, જોધપર (નદી) ખાતે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ડિસ્ટ્રિક્ટ કો- ઓર્ડીનેટર મયુર સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસના મહત્વત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આજના યુગમાં માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું ન...
કેન્દ્ર સરકાર ધ્વારા ડિજીટલ પબ્લીક ઈન્ફાસ્ટ્રકચર કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેકટ અમલમાં મુકાયો છે. જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવી ફરજીયાત છે.
હાલમાં પી.એમ.કિસાન યોજના અંતર્ગત લાભ મેળવવા તમામ ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત કરવામાં આવેલ છે. આમ મોરબી જિલ્લામાં પી.એમ.કિસાન યોજના અન્વયે ૧૯માં હપ્તાનો લાભ લેતા ૭૭,૮૯૨ માંથી...
ગુજરાત રાજ્યમાં પુલો, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લાગતું ખાસ અભિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે. ત્યારે મોરબી અને જામનગર જિલ્લાને જોડતા ટંકારા લતીપર રોડ પર ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક ફુલઝર નદી પર આવેલ માઇનર બ્રીજનું માર્ગ અને...