Sunday, June 29, 2025

મોરબીમાં મકાનમાંથી 1.93 લાખનો મુદ્દામાલ ચોરી તસ્કરો ફરાર 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં આંબલીફળીમા આવેલ એક રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાનમાંથી સોનાના દાગીના રોકડ રકમ મળી કુલ કિં રૂ. ૧,૯૩,૫૦૦ મુદામાલ ચોરી કરી ફરાર થઈ જતાં મકાન માલિકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે નજરબાગ મેઇન રોડ પર આવેલ પરશુરામ સોસાયટીમાં રહેતા રૂષીરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૨૭) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઇસમએ ફરીયાદી ના રહેણાંક મકાનમા પ્રવેશ કરી ફરીયાદીના કબાટના લોક ચાવીથી ખોલી સોનાના દાગીના જેમા સોનાની લકી નંગ-૧ તથા સોનાની વીટી નંગ-૧ કિ.રૂ. ૭૩ ૫૦૦/- તથા રોકડ રૂ.૧,૨૦, ૦૦૦/- મળી કુલ રૂ.૧,૯૩,૫૦૦/- ના મુદામાલ ની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા ફરીયાદના આધારે પોલીસે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર