ગેરકાયદેસર દબાણો હટાવવાની આગાઉ તંત્ર દ્વારા નોટિસ આપેલી હતી
મોરબી : રોડ પહોળો કરવાની કામગીરી નેં અંતર્ગત મોરબી નગરપાલિકા તંત્ર એ મોરબીના શનાળા બાયપાસ ઉપર આવેલા દબાણો હટાવવાની કાર્યવાહી કરી હતી
મળતી માહિતી મુજબ ગોકુળનગર-લાયન્સનગર મેઈન રોડ ઉપર આજે નગરપાલિકા તંત્ર ગેરકાયદે કાચા-પાકા દબાણો ઉપર ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પાલિકા તંત્રએ રોડ પહોળો કરવાની કામગીરીમાં અડચણરૂપ હોય તેવા દબાણોને તંત્રએ તોડી પાડી જગ્યા ખુલ્લી કરી છે.
મોરબીના શનાળા બાયપાસ પર આવેલા ગોકુળનગર-લાયન્સનગર મેઈન રોડ સાવ સાંકડો થઈ જતા આ રોડને પહોળો કરવા માટે નગરપાલિકા તંત્ર દ્વારા કામગીરી ચાલી રહી છે. એ દરમિયાન ગોકુળનગર-લાયન્સનગર મેઈન રોડ ઉપર ઘણા સમયથી 30 થી વધુ કાચા પાકા ગેરકાયદે દબાણો ખડકાઈ ગયા હોય ત્યારે રોડને પહોળો કરવા માટે આ દબાણો અવરોધરૂપ હોવાથી પાલિકા તંત્ર દ્વારા દુકાનો, લારી, વાડા સહિતના કાચા પાકા દબાણ કરનાર દબાણકારોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી.
તંત્રએ નોટિસ આપ્યા બાદ પણ દબાણકારોએ મચક ન આપતા આજે નગરપાલિકા તંત્ર દ્વારા ડીમોલેશનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું અને ગોકુળનગર – લાયન્સનગર મેઈન રોડ ઉપર ખડકાયેલા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.અત્યાર સુધીમાં પાંચથી સાત દુકાનો સહિતના દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે. હજુ ગેરકાયદે વાડા સહિતના દબાણો હોય એ દબાણ હટાવ કામગીરી ચાલશે તેમજ નગરપાલિકાના પવડી વિભાગના હિતેશભાઈ રવેશિયાએ જણાવ્યું હતું. આ કાર્યવાહીમાં ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સહિતનો સ્ટાફ જોડાયો હતો.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...