મોરબી શહેરના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા દીપક દિલીપભાઈ રાઠોડ નામના યુવકના મોટા બાપુના દીકરા જીતેન્દ્રના લગ્ન આરોપીના કૌટુંબિક દીકરી સાથે 5 વર્ષ પહેલા થયા હતા
જે બાબતે ફરિયાદી અને તેના પરિવારજનો સાથે આરોપીઓ અજય શિવા સારેશા,શિવા કેશુભાઈ સારેશા,જશવંત કેશુભાઈ સારેશા,જયાબેન કેશુભાઈ સારેશા નામના આરોપીઓએ ઝઘડો કરી મારમારી કરી હતી તેમજ ફરિયાદિ અને તેમના પરિવાર જનોને જાનથી મારી નાખવાની ધમકી હતી.સામેપક્ષે શિવાભાઈ કેશુભાઈ સારેશા નામના યુવાને પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી જે મુજબ આરોપી જીતેન્દ્રએ શિવાભાઈની કૌટુંબિક દીકરી સાથે 5 વર્ષ પહેલા લગ્ન કર્યા હતાતેમજ આરોપી દિલીપની દિકરીએ શિવાભાઈના મિત્રના પુત્ર સાથે લગ્ન કર્યા હતા જે બાબતે મનદુઃખ ચાલતું હતું અને આ મ્ન્દુખનો ખાર રાખી આરોપીઓ જીતેન્દ્ર ઉર્ફે જ્લ્પો જેન્તી રાઠોડ,દિલીપ સીદિભાઈ રાઠોડ,દીપક દિલીપ રાઠોડ,લખમણ ઉર્ફે લખન મોહનભાઈ રાઠોડ સહિતનાએ હુમલો કર્યો હતો.બનાવ અંગે બી ડીવીઝન પોલીસમથકમાં સમસમી ફરિયાદ નોધાઈ હતી બનાવ અંગે પોલીસે ગુન્હો નોધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...