મોરબી શહેરના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા દીપક દિલીપભાઈ રાઠોડ નામના યુવકના મોટા બાપુના દીકરા જીતેન્દ્રના લગ્ન આરોપીના કૌટુંબિક દીકરી સાથે 5 વર્ષ પહેલા થયા હતા
જે બાબતે ફરિયાદી અને તેના પરિવારજનો સાથે આરોપીઓ અજય શિવા સારેશા,શિવા કેશુભાઈ સારેશા,જશવંત કેશુભાઈ સારેશા,જયાબેન કેશુભાઈ સારેશા નામના આરોપીઓએ ઝઘડો કરી મારમારી કરી હતી તેમજ ફરિયાદિ અને તેમના પરિવાર જનોને જાનથી મારી નાખવાની ધમકી હતી.સામેપક્ષે શિવાભાઈ કેશુભાઈ સારેશા નામના યુવાને પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી જે મુજબ આરોપી જીતેન્દ્રએ શિવાભાઈની કૌટુંબિક દીકરી સાથે 5 વર્ષ પહેલા લગ્ન કર્યા હતાતેમજ આરોપી દિલીપની દિકરીએ શિવાભાઈના મિત્રના પુત્ર સાથે લગ્ન કર્યા હતા જે બાબતે મનદુઃખ ચાલતું હતું અને આ મ્ન્દુખનો ખાર રાખી આરોપીઓ જીતેન્દ્ર ઉર્ફે જ્લ્પો જેન્તી રાઠોડ,દિલીપ સીદિભાઈ રાઠોડ,દીપક દિલીપ રાઠોડ,લખમણ ઉર્ફે લખન મોહનભાઈ રાઠોડ સહિતનાએ હુમલો કર્યો હતો.બનાવ અંગે બી ડીવીઝન પોલીસમથકમાં સમસમી ફરિયાદ નોધાઈ હતી બનાવ અંગે પોલીસે ગુન્હો નોધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...