હળવદ:હળવદના ટીકર ગામ નજીક રોડ પર પુરપાટ વેગે આવતાં બેકાબુ બનેલો ટ્રક રોડ પર જઇ રહેલા ઘેટાં બકરાં પર ફરી વળતાં ૧૨ જેટલા ઘેટાં બકરાં નાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ કચ્છના માલધારી પરિવાર પોતાના ઘેટા બકરા નાં સમુહ ને લઈને કચ્છ થી અમદાવાદ તરફ વાંઢ ખાતે જવા માટે રોડ પસાર થઇ રહ્યા હતા ત્યારે ટીકર ગામ નજીક થી એક ટ્રકમાં જેસીબી રણમાં લઇ જવાતું હતું ત્યારે ટ્રકની બ્રેક ફેઈલ થઇ હતી જેથી ટ્રકચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બેકાબુ ટ્રક ઘેટાના ઘણ પર ફરી વળ્યો હતો
જે ગમખ્વાર અકસ્માતમાં ૧૨ ઘેટા ટ્રકના મહાકાય વ્હીલ નીચે કચડાઈ જતા અરેરાટી ફેલાઈ ગઈ છે અને ૧૨ ઘેટાના મૃત્યુથી માલધારી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...