લુપ્ત થતી ચકલીની પ્રજાતિને બચાવવા માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ કાર્યરત છે ત્યારે મોરબીમાં લક્કી ગ્રુપ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિતે નિશુલ્ક ચકલીઘરનું વિતરણ કરવામાં આવશે
મોરબીના લક્કી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ ચકલી દિવસ નિમિતે તા ૨૦ માર્ચના રોજ સવારે ૯ થી ૧૨ કલાક સુધી મહારાણા પ્રતાપ સર્કલ, સામાકાંઠે મોરબી ખાતે વિનામુલીયે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવશે જે સેવાકાર્યને સફળ બનાવવા લક્કી ગ્રુપના મોહિતભાઈ ઘોડાસરા, ગજેન્દ્રભાઈ રાઠોડ, જયપાલ જાદવ સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...