લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી તથા ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં જોડાવા લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીએ લોકોને અપીલ કરી છે.
મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી તથા ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા રકતદાનએ મહાદાન પ્રોજેક્ટ અંતર્ગત રક્તદાન કેમ્પનું આવતીકાલ તા.20ને રવિવારના રોજ સવારે ૯ થી ૧ વાગ્યા સુધી ઉમા વિદ્યાસંકુલ પંચમુખી હનુમાન મંદિર સામે મોરબી-૨ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.વધુમાં વધુ લોકો આ કેમ્પમાં જોડાય તેવી લાયન્સ કલબ ઓફ મોરબી સીટીએ લોકોને અપીલ કરી છે.આ કેમ્પની વધુ માહિતી માટે પ્રમુખ ત્રિભોવનભાઈ ફુલતરિયા મો. ૯૮૨૫૨ ૦૩૩૧૫,મંત્રી કેશવજીભાઈ દેત્રોજા મો.૯૫૩૭૫ ૩૪૫૫૫,ખજાનચી નાનજીભાઈ મોરડીયા મો. ૯૯૭૮૩ ૦૦૪૫૮,PMJF રમેશભાઈ કે. રૂપાલા રીજીયન ચેરપર્સન, રીજીયન-૨ મો.૯૯૨૫૪ ૧૦૫૫૫ પર સંપર્ક કરવા યાદી જણાવાયું છે..
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...