આજ રોજ ગાંધીનગર ખાતે મોરબી શહેર ભાજપ મહામંત્રીશ્રી ભાવેશભાઇ કંઝારિયા તેમજ ઉદ્યોગપતિ ગણેશભાઈ ડાભીની આગેવાની હેઠળ મોરબી નગરપાલિકાના પ્રમુખશ્રી કુસુમબેન પરમાર અને મોરબી નગર પાલિકાના ચેરમેન શ્રીઓ, કાઉન્સિલરો, મોરબી શહેરના સતવારા(દલવાડી) સમાજના આગેવાનોએ મોરબી શહેરના વિવિધ પ્રશ્નોને લઈને મોરબી માળીયાના ધારાસભ્ય શ્રી અને ગુજરત રાજ્ય સરકારના મંત્રી શ્રી બ્રીજેશભાઈ મેરજા સાહેબની મુલાકાત
ગુજરાત વિધાનસભા ખાતે કરી હતી અને અમારા પ્રશ્નનો સાંભળી વહેલી તકે આ પ્રશ્નોના ઉકેલ લાવવા માટે સાહેબ દ્વારા તત્કાલ ફોન કરી સૂચન કરવામાં આવ્યું હતું. મેરજા સાહેબ દ્વારા હકારાત્મક વલણ અપનાવી યોગ્ય ઉકેલની ખાતરી આપી હતી. અને સાથે વિધાનસભા ગૃહમાં અંદર જઇને ચાલુ સત્ર જોવાનો અને સાંભળવાનો મોકો મળ્યો હતો
આ સમયે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખશ્રી જગદીશભાઈ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોરબી જિલ્લાના મહામંત્રી શ્રી રણછોડભાઈ દલવાડી, અશ્વિનભાઈ, તપનભાઈ હાજર રહ્યા હતા….
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...