યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગાંધીનગર ગુજરાત દ્વારા આયોજિત જિલ્લા વહીવટી તંત્ર મોરબી જિલ્લા રમતગમત અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત 11 મો ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાનું લોન ટેનિસ સ્પર્ધાનું આયોજન તારીખ 25, 3, 2022 ને શુક્રવારના રોજ યુનિક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમી મોરબી દ્વારા રવાપર ના સરપંચ શ્રી નીતિન ભાઈ ના મુખ્ય મહેમાન પદે અને યુનિક સ્પોર્ટ્સ એકેડમી ના સંચાલકો દ્વારા આયોજિત કરવામાં આવ્યું
સ્થળ સંચાલક તરીકે કિરીટભાઈ દેકાવડીયા દ્વારા કરવામાં આવ્યું રેફરી તરીકે પરિમલ ભાઈ સાંગાણી રાજકોટની ટીમ દ્વારા કાર્યક્રમને સુપેરે પાર પાડવામાં આવ્યો આ કાર્યક્રમનું ઓપનિંગ ભારતીય સંસ્કૃતિ મુજબ નારિયેળ ફોડીને કરવામાં આવ્યું સાથે મોરબી જિલ્લાના તમામ તાલુકામાંથી આવેલા રમતવીરોને લીંબુ શરબત અને પફનો નાસ્તો યુનિક સ્પોર્ટ્સ એકેડમી તરફથી કરાવવામાં આવ્યો…નાસ્તા અને સરબત ના વિતરણ અને બનાવવા માં એકેડમીના તમામ ભાગીદારો એ જહેમત ઉઠાવી… વ્યવસ્થિત રીતે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો સાથે પાટીદાર ધામ મોરબી દ્વારા એમ્બ્યુલન્સની સેવા પણ આપવામાં આવી… જહેમંત ઉઠાવનાર વિમલ ભાઈ, કેવિન ભાઈ અનિલ ભાઈ,નરેન્દ્ર ભાઈ,ચેતન ભાઈ,દેવરાજ ભાઈ,રામજી ભાઈ,ઘનશ્યામ ભાઈ,જયદીપ ભાઈ,ઉત્સવ ભાઈ,મયુર ભાઈ,શૈલેષ ભાઈ તમામ આયોજકોનો આ તકે યુનિક ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એકેડમી એ ખુબ ખુબ આભાર માન્યો….
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...