ખોડલધામના નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે છેલ્લા ઘણા સમયથી ચાલે છે ચર્ચાઓ પુત્ર શિવરાજ પટેલે કહ્યું, પિતાનો જે પણ નિર્ણય હશે તેને પરિવાર સહયોગ આપશે
રાજકોટઃ ખોડલધામના નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે છેલ્લા ઘણા સમયથી અનેક ચર્ચાઓ ચાલે છે. મીડિયામાં પણ અહેવાલ આવતા રહે છે કે નરેશ પટેલ રાજકીય એન્ટ્રી કરશે. ત્યારે તેમના પુત્ર શિવરાજ પટેલ આજે મીડિયા સામે આવ્યા હતા. શિવરાજ પટેલે કહ્યું હતું કે તેમના પિતા નરેશ પટેલ રાજકારણમાં આવે તે જરૂરી છે. હું વ્યક્તિગત ઇચ્છીશ કે સારા લોકોએ રાજકારણમાં આવવું જોઇએ.
શિવરાજ પટેલે કહ્યું હતું કે તેમના પિતા નરેશ પટેલનો રાજકીય પ્રવેશ થશે કે કેમ અને થશે તો ક્યાં પક્ષમાં થશે તેનો આખરી નિર્ણય તેમના પિતા જ લેશે.જો કે પિતાનો જે પણ નિર્ણય હશે તેને પરિવાર સહયોગ આપશે. નરેશ પટેલ 30 માર્ચ સુધીમાં રાજકીય પ્રવેશ અંગે નિર્ણય લઇ લેશે તેવો પણ દાવો કર્યો હતો.નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે કહ્યું હતું કે જો તેમના પિતા નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરશે તો શિક્ષણ અને આરોગ્ય તેમની પ્રાથમિકતા હશે. તેઓના રાજકીય પ્રવેશ બાદ તેઓ શિક્ષણ અને આરોગ્યને પ્રાધાન્ય આપશે અને તે પ્રમાણે કામ કરશે. શિવરાજ પટેલે કહ્યું કે, નરેશ પટેલે અનેક સેવાકીય પ્રવૃતિઓ કરી છે. હું મારા પિતાને ઓળખું છું ત્યાં સુધી તેઓ શિક્ષણ અને આરોગ્ય પર કામ કરશે કોઇપણ રાજ્યને મોટું કરવું હોય તો શિક્ષણ અને આરોગ્ય સારૂ હોવું જોઇએ. જેથી તેઓ રાજકારણમાં પ્રવેશ કરશે તો આ મુદ્દે કામ કરશે તેવો વિશ્વાસ છે.થોડા દિવસો પહેલા નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં રાજકારણમાં જોડાવા અંગે નિર્ણય 30 માર્ચ સુધીમાં લઇ લેશે તેવો દાવો કર્યો હતો.પરંતુ તેઓ કઇ પાર્ટીમાં જોડાશે તે એક મોટો સવાલ છે, તેમને કોંગ્રેસ અને આપે આમંત્રણ આપ્યું છે, ભાજપને પણ વિશ્વાસ છે કે નરેશ પટેલ ભાજપમાં જ આવશે.
મોરબી: આવતીકાલે તારીખ ૨૯-૦૪-૨૦૨૪ ને સોમવારનાં રોજ મેન્ટનન્સની કામગીરીને પગલેએમ હોસ્પિટલ ફીડરના વિસ્તારોમાં ફીડર સમારકામ સવારે ૦૭:૦૦ વાગ્યા થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. જેની પીજીવીસીએ દ્વારા ગ્રાહકોની જાણ કરવામાં આવી છે તેમજ કામપૂર્ણ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.
એમ. હોસ્પિટલ ફિડર:-...
મોરબી શૈક્ષિક મહાસંઘની મુહિમને મોરબીવાસીઓએ વખાણી
મોરબીમાં બપોર સુધી 357 જેટલા જુના પુસ્તકોના સેટ આવતા બે સ્ટોલ મોડી સાંજ સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો
મોરબી: રાષ્ટ્ર કે હિતમે શિક્ષા, શિક્ષા કે હિતમેં શિક્ષક,શિક્ષક કે હિતમેં સમાજ અને છાત્ર કે હિતમેં કાર્યરત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ શિક્ષકોના પ્રશ્નોની સાથે સાથે રક્તદાન...