ઇન્ડોનેશિયા કોલ માં ભેળસેળ કરી નબળી ગુણવત્તા વાળો કોલસો ધાબડી દેતાં પોલીસ ફરીયાદ નોંધાય
મળતી માહિતી મુજબ નવલખી પોર્ટ તે આવેલ વાસુકી ટ્રેક લિંક કંપની પાસેથી ઇન્ડોનેશિયા કોલ નો જથ્થો હિંમતનગરની અંબુજા એક્સ્પોર્ટ લિમિટેડ કંપની એ મગાવ્યો હતો એ જથ્થામાં ટ્રકચાલકે ભેળસેળ કરી ઉચ્ચ ગુણવત્તા વાળા કોલસાની જગ્યાએ નબળી ગુણવત્તાવાળો કોલસો ધાવડી દેતા ૧૦ ટ્રકચાલકો વિરૃદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે
રાજકોટના મવડી મેઈન રોડ પર નવલનગરમાં રહેતા જસ્મીનભાઈ બાલશંકરભાઈ માઢક (ઉ.૪૫) એ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટ્રક નંબર જીજે ૧૦ ટીયુ ૮૪૩૧ ના ચાલક કાળુભાઈ, ટ્રક નંબર ૧૨ એસી ૬૮૦૫ તથા તેના માલિક સુનીલ વીરડા, ટ્રક જીજે ૧૦ ટીટી ૩૮૬૨ના ચાલક, ટ્રક નંબર જીજે ૧૦ ટીવી ૧૮૩૮ નો ચાલક, ટ્રક જીજે ૩૬ વી ૫૯૯૪ ના ચાલક, ટ્રક જીજે ૩૬ વી ૧૨૮૯ ના ચાલક, ટ્રક જીજે ૩૬ ટી ૫૯૯૪ ના ચાલક અને વિરાટ લોજીસ્ટીક વાળા દીપક વશરામભાઈ તથા તપાસમાં ખુલે તેને એકબીજા સાથે મેળાપીણું કરી આરોપી ટ્રક/ડમ્પરના ચાલકોએ પોતાના કબ્જા વાળી ટ્રક/ડમ્પરોમાં ફરિયાદી જસ્મીનભાઈની વાસુકી ટ્રેડલીક પ્રા.લી.નો નવલખી પોર્ટ ખાતેથી ભરેલ ઇન્ડોનેશિયા કોલ ૩૪૦૦ જીસીવીની ગુણવતા વાળો ભરી અંબુજા એક્ષ્પર્ટ લી. કંપની હિમતનગર ખાતે પહોચાડવા નીકળી રસ્તામાં માલ પરિવહન દરમિયાન જેતે સ્થિતિમાં પહોચાડવાની જવાબદારી આરોપીઓની હોય જે જવાબદારી નહિ નિભાવી દશ ટ્રકમાં ભરેલ કુલ ૩૫૩ મેટ્રિકટન ૧૦૦ કી.ગ્રા. કુલ કીમત.૨૨,૫૬,૭૬૮ ના કોલસામાં પરિવહન દરમિયાન ટ્રક/ડમ્પર ઉપર બાંધેલ તાલપતરી તથા રસ્સા ઉપર મારેલ શીલ તોડી બંધ તાલપાત્ર ખોલી તેમાંથી કોલસો કાઢી ટ્રકમાં રહેલ બાકીના કોલસામાં હલકી ગુણવતા વાળો કોલસા/માટી ભેળસેળ કરી પરિવહન દરમિયાનનો વિશ્વાસધાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે તો માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ એલસીબી પી એસ આઈ એન એચ ચુડાસમા ચલાવી રહ્યા છે
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...
વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. પાલી કરમબેલી ગામમાં એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોના શંકાસ્પદ મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક બાળકોમાં 9 મહિનાના જુડવા ભાઈઓ આર્યન અને વિહાન તેમજ 3 વર્ષની દીકરી નાયરાનો સમાવેશ થાય છે. આ...