મોરબી ના હળવદ ખાતે ભારતીય જનતા પાર્ટી મેડિકલ સેલ દ્વારા ડોક્ટર માલપરા સાહેબના દવાખાને હળવદ તાલુકાના સગર્ભા મહિલા માટે નિશુલ્ક સોનોગ્રાફી કેમ્પ યોજવામાં આવેલ.
કેમ્પમાં ત્રણ થી આઠ મહિનાસુધી સગર્ભા 35 મહિલા સગર્ભાએ ચેક-અપ કરાવામ આવેલ . જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવેલ આ કેમ્પમાં મહિલા મોરચાના પ્રભારી ઉર્વશી બેન પંડ્યા તથા હળવદ શહેર મહિલા મોરચાના પ્રમુખ પન્ના બેન રાવલ, હળવદ ધાંગધ્રા ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, કેતનભાઇ દવે, તપનભાઈ દવે, દાદુ ભાઈ ડાંગર, રવજીભાઈ દલવાડી, ડોક્ટર બી. ટી. માલમપરા, અશોકભાઈ પ્રજાપતિ, હીનાબેન મહેતા,રણછોડભાઈ દલવાડી વગેરે ઉપસ્થિત રહ્યા હતા
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...